________________
ધ્યાનદીપિકા
[ ૧૧૭ ].
નિર્દોષપણે સ્થિર થઈ ધ્યાનરૂપ અમૃતરસનું પાન કર.
ભાવાર્થ: – પૂર્વે કહી આવ્યા તેમ અનુકૂળ સમયેગો છતાં પણ જન્મમરણ દૂર કરવા અને આત્મસ્વરૂપે પ્રગટ કરવા, આ માનસિક ક૯૫નાથી જ રમણીય દેખાતા પદાર્થોનો ત્યાગ કરી સર્વ ગુણોના સંસ્થાન-ગૃહતુલ્ય ધર્મધ્યાનનો જ આશ્રય પૂર્વે અનેક મુમુક્ષુ જીવેએ લીધે છે, વર્તમાનમાં પણ લે છે અને ભવિષ્યમાં પણ તે ધ્યાનને જ આશ્રય લેશે.
હે પ્રિયબધુ! જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉત્પન્ન થતા કલેશથી તને જરા પણ નિર્વેદ આવ્યો હેય-કંટાળો આવ્યો હોય, ફરી તેવા કલેશ સહન કરવાની તારી ઈચ્છા ન હોય તે જ સર્વ સંગનો-સવ આસક્તિને ત્યાગ કર.
જે હજી પણ આ દુનિયાના માયિક-દેખાવે માત્ર રમણીય વિષય પ્રિય લાગતા હોય તે આ બાહ્ય ત્યાગના કલેશમાં પડીશ નહિ. મનથી ત્યાગ થયો હોય તે આ ત્યાગ માગ લેશવાળો નથી પણ સુખરૂપ છે. પણ તે સિવાય તે કલેશરૂપ છે. ઉપરનો ત્યાગ તે ત્યાગ નથી, કાંચળી કાઢી નાખવાથી સર્ષ નિર્વિષ થતો નથી, માટે વિષયની ઈચ્છા દૂર કરી હોય તે જ ત્યાગમાર્ગમાં પ્રવેશ કરજે, પ્રવેશ કરીને પણ આળસુ બની ઉભયભ્રષ્ટ ન થજે, પણ ધર્મધ્યાનમાં આસક્ત થજે. ધર્મધ્યાન કરજે એમ નહિ પણ તેમાં આસક્ત થજે એટલે તેને માટે જ અવશેષ રહેલું તારું જીવન તદાકાર કરી દેજે, તારું મૂળ નિશાન ચૂકીશ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org