________________
[ ૧૧૨ ]
ધ્યાનદીપિકા
આ ભાવનાથી જેણે હૃદય વાસિત ન કર્યું હોય તે ધ્યાનને લાયક થતું જ નથી. મતલબ કે ધ્યાનને લાયા થવા માટે આ ભાવનાનો પ્રથમ પ્રયોગ કરે. રસાયણ ખાવા માટે કેડે સાફ કરવા આ જુલાબ પ્રથમ લઈ લેવો. ત્યાર પછી ધર્મ રસાયણનું સેવન કરવું.
પ્રકરણ ૪
હિતશિક્ષા गुणोपेतं नरत्वं चेत् काकतालीयनीतितः । यद्याप्तं सफलं कुर्यात् नित्यं मोक्षार्थसाधनैः ॥४५॥
હે માનવ! આ ગુણોવાળું તે કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તે મોક્ષપ્રાપ્તિ થાય તેવા સાધને નિત્ય સેવીને તારે તે સફલ કરવું.
ભાવાર્થ :–ગુણવાળું-ગુણ, શાંતિ, સમતા, સ્વભાવ રમણતા ઈત્યાદિવાળું અર્થાત્ ઈત્યાદિ ગુણો જેમાં ઉત્પન્ન કરી શકાય તેવું છે. મનુષ્યપણું તે તને કાતાલીય ન્યાયથી પ્રાપ્ત થયું છે. કહેવત છે કે “કાગડાનું તાડપર બેસવું અને તાડનું પડવું” આવું તે કેઈક વાર જ બને છે. કાગડો તાડ પર બેસે એટલે તાડ પડી જાય આવું કાંઈ નિત્ય બનતું નથી. તેમ મનુષ્યપણું પણ કાયમ મળતું નથી. પણ કઈક કાકાલીય ન્યાય જેવા પ્રસંગે જ મળી આવે છે. તે હે મનુષ્ય! નિરંતર મોક્ષ એ જ અર્થ સિદ્ધ થાય તેવા ઉત્તમ સાધના સેવન વડે તેને સફળ કરી લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org