SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનદીપિકા [ ૧૦૫ ] ધર્મ મળવો દુર્લભ છે, તેનો વિચાર કરી અનુકૂળ અવસર મળ્યા છતાં પ્રમાદ ન કરતા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. આ ધર્મના અમુક પવિત્ર અંશે-ભાગો (જેવા કે સર્વ જીવને આત્મસ્વરૂપે જેવા, સર્વ જીવોની દયા કરવી, જેને અભય આપવું વગેરે) તેને આશ્રય કરીને ઘણા જ મેક્ષ પામ્યા છે અને પામશે. નાસ્તિક કે જેઓ ધર્માધર્મ જેવું કાંઈ માનતા નથી, આત્માને પણ નિત્ય સ્વરૂપે સ્વીકારતા નથી, તેઓ આ ધર્મના રહસ્યને શું સમજે? તેમના કુતર્કવાળા વાદો, આ ધર્મનું મહાન સ્વરૂપ કેવી રીતે પ્રતિપાદન કરી શકે ? કારણ કે ધર્મ અનુભવગમ્ય છે. વ્યવહારમાં ગમે તેવું તેનું સ્વરૂપ કથન કરે, તથાપિ તેને અનુભવ કર્યા વિના તેનાથી ઉત્પન્ન થતી સુખશાન્તિ મળી શકતી નથી. હે ભવ્ય જીવો ! આવી ઉત્તમ અનુકૂળતા તમને મળી છે, તે તેનો દુરુપયોગ ન કરતા તેને સફળ કરે. ધર્મનો અનુભવ મેળવવા માટે પ્રમાદ ન કરતાં સાવધ થવું તે આ ભાવનાની વિચારશ્રેણીને ઉદ્દેશ છે. ૪૦-૪૧. આ લોક શું છે, તે સંબંધી વિચાર લેકભાવના जीवादयो यत्र समस्तभावा जिनैविलोक्यन्त इतीह लोकः। उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धो स्वामी च नित्यो निधनश्च चिन्त्यः।।४२॥ उत्पद्यन्ते विपद्यन्ते यत्रैते जीवराशयः । कर्मपाशाधिसंबद्धाः नानायोनिषु संस्थिताः ॥ ४३ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy