________________
[ ૧૦૬ ]
ધ્યાનદીપિકા
જિનેશ્વરે, જેમાં જીવ આદિ સમસ્ત પદાર્થો જુએ છે તે આ લોક સમજ. તે લેક ત્રણ પ્રકારે કહ્યો છે. તે સ્વયંસિદ્ધ છે, પોતે જ માલિક છે, નિત્ય છે અને નાશ પામનાર નથી, એમ વિચાર કરે. ૪૩. - કર્મ પાશથી અતિ બંધાયેલી અને નાના પ્રકારની નિઓમાં રહેલી જીવની રાશિઓ જેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે તે લેક છે.
ભાવાર્થ:-ધર્મભાવનામાં ધર્મસ્વરૂપ સમજાવ્યું. હવે લોકભાવના એટલે આ લોક સંબંધી વિચાર કરો. આ વિચાર કરવાને હેતુ એ છે કે મનને ચંચળતાવાળો સ્વભાવ છે. ગમે તેવા ઠેકાણે તેને ગોઠો પણ પૂર્વના સંસ્કારને પ્રબેધક સહજ નિમિત્ત મળ્યું કે તેમાંથી છટકી જઈ અન્ય વિચારોમાં ગોઠવાઈ જશે. આ લોકભાવનાના વિચારો કરાવવા તે તેની ચંચળતાને વધારે ચંચળ કરાવીને શાન્તિ આપવાને ઉપાય છે. ઘેડો ઘણે ચપળ અને ઉદ્ધત તેફાની હોય, ઊભો રાખવા છતા દેડવાની ઈચ્છા કરતે હેય, પણ તેને એક વાર રેતીને ઊભા રણમાં પ્રવેશ કરાવી, તેની ઈચ્છાથી પણ વધારે દોડાવવાથી, છેવટે થાકી જઈ ચલાવવા પ્રયત્ન કરવા છતાં પણ તે ઊભું રહી જશે. આ ન્યાયે મનના ચપળ સ્વભાવને વધારે ચપળતા કરાવી આખા લેકમાં ફેલાવી મનને શાન્ત કરવાને આ ઉપાય છે. આમાં મનને પિતાની ઈચ્છાનુસાર વિચાર કરવા નહિ દેતાં આપણી ઈચ્છાનુસાર–આપણું કહ્યા મુજબ, કહ્યા તેટલા વખત સુધી વિચાર કરાવવાની ટેવ પાડવામાં આવે છે; મતલબ કે મરજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org