SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૦૧ ) છે? તમે જાણતા હશે કે તે પાણીના ધક્કાથી બહાર નીકળી ચાલ્યું જાય છે અને તેની જગ્યા આ નવીન આવેલું પાણી લે છે. અર્થાત્ જૂનું પાણી નીકળી જઈ નવીન પાણી-સ્વચ્છ પાણી તેમાં રહે છે. આ જ દષ્ટાંતે જૂના પાણીરૂપ-મલિન વિચાર-પાપિચ્છ-ગંધાઈ ગયેલ અને તેથી જ અપકીર્તિ અને દુખની દુર્ગધ ઉછાળનાર પાપકર્મો આ નવીન પરમેશ્વરપદનો વાચક મહામંત્ર ૩ મર્દ નમ: તેને અખંડ જાપ કરે. તમારામાં બળ હોય તેટલા પુરસથી જાપ કરો. એક શ્વાસ શ્વાસ પણ મહામંત્રના ઉચ્ચારણ કર્યા સિવાય ખાલી ન જવા દે. જેઈલે પછી મજા. આ નવું પાણી એટલા જેસથી વહેવા માંડશે કે તેના ધક્કાથી પૂર્વનું જૂનું ગંધાયેલું પાપરૂપ પાણી-મલિન વાસનારૂપ પાણીતદ્દન ખાલી થઈ જશે. તેની ખાતરી તમારા મનમાં ખરાબ વિચાર પ્રગટ થાય તે છે. અને આ મંત્રના તાપથી (કારણ કે તેથી તપ થાય છે એટલે તેના તાપથી) ઉત્તમ વિચારની ધારા પ્રગટ થશે. આ આવરણ જવાથી-આ જાપના ઘર્ષણથી–ઉત્પન્ન થતી વીજળીના તાપથી તમારી માલિનતા બળી જવાથી અનેક સુવિચારની ધારાઓ સ્ફરવા માંડશે આ અજ્ઞાનાવરણ ઓછું થવાથી - ખરું જ્ઞાન જેમાંથી થવાનું છે તેવી વિચારશ્રેણી ચાલુ થશે આટલું થયા પછી અજ્ઞાનાવરણ તેડવાનું કામ શરૂ થશે એટલે ત્રીજી ભૂમિકા શરૂ થશે. પૂર્વ કહી આવ્યા તે ઉપવાસ એ પહેલી ભૂમિકા છે. જાપ બીજી ભૂમિકા છે. વિચાર ત્રીજી ભૂમિકા છે. આ સ્થળે તપને વિષય ચાલુ છે માટે જાપથી તપ થાય છે. પરમાત્માનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy