SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૯૯ ] કને તપાવે તે તપ છે, સૂર્યના તાપથી દુનિયા પર રહેલા અશુચિ, પદાર્થોમાંથી અશુચિતા, દુગંધવાળા પદાર્થોમાંથી દુધ ઉડી જાય છે, રસ્તા પર થયેલ કાદવ કે કીચડમાંથી ચીકાશ ઉડી જાય છે અને રસ્તાઆ સ્વચ્છ થઈ રહે છે, આનુ કારણ સૂર્યમાં રહેલી શાષક શક્તિ છે. આવી જ રીતે મનમાં રહેલી રાગદ્વેષની પરિણતિરૂપી ચીકાશ-આસક્તિ તેને જેના વડે ઉડાવી દેવાય અને મનને સ્વચ્છ-નિર્મળ કરી શકાય તે તપ છે. ઉપવાસાદિ કરવાં તે શરૂઆતની પહેલી ચાપડી છે. તે પણ સમજીને પેાતાની શક્તિની તુલના કરીને કરવાં જોઇએ. જેનામાં વિષયાદિ વિકાશની પ્રખળતા હાય છે, તેને તત્કાળ શાન્ત કરવા માટે ઉપવાસ ઉપયાગી સાધન છે. પણ આ એકલા ઉપવાસની અસર ઇંદ્રિયા ઉપર લાંખા વખત ટકી શકતી નથી ઉપવાસથી તેના શરીરના અવયવા ઢીલા થશે, ઇંદ્રિચાના વિકારા શાંત થશે, વિકાર કરનારી વીશક્તિ મળી જશે, પણ તે ઉપવાસ કરવા અધ કર્યા એટલે પાછી વિકારાદિની સ્થિતિ પૂર્વની માફ્ક પ્રગટ થઈ આવશે. આ ઉપવાસની અસર શરીર સુધી પહોંચે છે; પણ મન ઉપર તેની થાડી અસર થાય છે. આ ઉપવાસા કાંઈ કાયમ કરી શકાતા નથી. લાકડાં કાઢી લીધાં એટલે અગ્નિ મ થશે; પાછાં લાકડાં અગ્નિમાં નાખશે એટલે અગ્નિમાં વધારો થશે. આમ ખારાક ન આપવાથી શરીર ઇંદ્વિચા સાથે નરમ થશે; મન તા સહેજસાજ ખેારાકના અભાવે નરમ પડશે; પણ પાછા જ્યાં ખારાક દેહમાં પડયો કે પાછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy