SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનદીપિકા [ ૯૭ ] સહન કરવાનું બળ તમારામાં હોવું જોઈએ. તે પિતાને લાગેલા પ્રહારથી તમને પ્રહાર કદાચ કરે, નુકશાન પહોંચાડે તે વખતે જે તમારામાં રાગદ્વેષની પરિણતિ ઊઠે. તેનો પ્રતિકાર કરવા તમે ઊઠે તે તે વખતે તમે નવીન કર્મ બાંધવાના જ. આ વખતે તમારે સંતોષ માનવો જોઈએ કે મારા હાથ, પગથી અન્યને થયેલા પ્રહારનો આ બદલે છે, છતાં હું તેને સહન નહિ કરું તે મારા તરફથી કરાતા આઘાતને ફરી પાછો બદલો સામા તરફથી કરાતા પ્રત્યાઘાતરૂપે થવાને જ મળવાનો જ. આમ વિચાર કરી જે સમભાવની સ્થિતિમાં આવી જાઓ. તે નવીન કર્મબંધ થતો અટકી પડે; નહિતર આ કર્માવર્તનું વિષમચક પાછું આવી ઊભું રહેવાનું જ અને એક પછી એક આવા આઘાત પ્રત્યાઘાત થયા જ કરવાના. આ જ પેલી કઠીને ખાલી ન થવા દેવાનું કારણ સંસાર પરિભ્રમણ ચાલુ રહેવાનું આ જ કારણ નવીન બંધ કેમ થાય છે તેને સમજવાની આ જ ફેંચી છે. સમ્યક્દષ્ટિ થયા સિવાય નવીન બંધ થતું અટકતો નથી માટે આત્મદષ્ટિ જાગૃત કરી સામ્ય સ્થિતિમાં આવી જવું જોઈએ. કોઈ પણ જાતની ઈચ્છા કરીને, પ્રાપ્ત કરવા યોગ્ય વિષયને ઉદ્દેશીને કિયા ચાલુ રાખશો ત્યાં સુધી તમારી ઈચ્છાના પ્રમાણમાં કર્મના પુગલે ખેંચવાના જ. પણ જે પૂર્વના ઉદય પ્રમાણે નિરીહપણે વર્તન ચાલુ રાખો, ઈષ્ટનિષ્ટમાં હર્ષશેક ન કરે, અનિચ્છાએ પણ પૂર્વકર્મને ચકના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy