________________
[ ૮૬ ]
'ધ્યાનદીપિકા
પણ તે સુખદુઃખરૂપ શુભાશુભ કર્મને અનુભવ કરતા તે જી રાગદ્વેષની નવીન લાગણીઓ ઉત્પન્ન કરે છે. અને જેટલી લાગણી મૃદુ કે તિવ્ર તેવું અને તેટલા પ્રમાણનું કમ બંધાય છે. કમની જાવક છતાં નવીન આવકને લઈને સંસારના બીજભૂત કર્મને નાશ થતો નથી. મતલબ કે જેટલું કર્મ સુખદુઃખના અનુભવથી તે ઓછું કરે છે તેટલું કે તેનાથી ઓછું અગર વધારે પાછું બંધાય છે. આ કારણથી ધમધમની વ્યવસ્થાની જરૂરિયાત સર્વ જીવને રહ્યા કરે છે.
નિર્જરા તત્વમાં નવીન એ બતાવવાનું છે કે અકામ નિરા તે સર્વ જી કરે છે, પણ સકામ નિર્જરા કરવી તે પુરુષાર્થથી સાધ્ય થઈ શકે તેમ છે, ત્યાગીએ નિર્ગથે કામ નિર્જરા કરી શકે છે. મૂળ ગ્રંથકારના લાકમાં બતાવ્યા પ્રમાણે સકામ નિર્જરા નિરોને હોય છે એ વાત ખરી છે, પણ નિર્ચથને અર્થ જે ત્યાગી થાય છે, તેટલો સાંકડો અર્થ ન લેતા નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાને-“જેની રાગદ્વેષની ગ્રંથિ-ગાંઠ-તૂટી ગયેલી છે તેવા” એ અર્થ લે વધારે યોગ્ય છે. મતલબ કે સંસારના પદાર્થોમાં મમત્વ કે આસક્તિભાવની લાગણીઓ જેની નાશ પામી છે તેવા સમ્યફદષ્ટિવાળા જ ગ્રહણ કરવા તે અહીં વધારે ગ્ય લાગે છે. - આસક્તિ નાશ પામવાથી આસક્તિને લઈને થતી રાગશ્રેષની તીવ્ર પરિણતિ તે જેની સદાને માટે બંધ થઈ ગઈ છે, અનંત બંધને વિસ્તારનારી કેધ, માન, માયા, લોભરૂપ અનંતાનુબંધી અજ્ઞાનપરિણતિ જેની છેદાઈ ગઈ છે તેવા જ નિગ્રંથ શબ્દથી ગ્રહણ કરવા. આવા જ ત્યાગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org