SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમામ પોકારી નિપ પૂર્વ સા યાદીપિકા [ ૮૫ ] સમ્યફદષ્ટિના અભાવે હર્ષ, શક, રાગદ્વેષાદિવાળાં પરિણામ થયા સિવાય રહેતાં નથી, અને આવા પરિણામથી નવીન બંધ પણ સાથે જ થાય છે સમ્યફદષ્ટિવાળા છે આ કર્મ ભગવતાં હર્ષ, શક કે રાગદ્વેષ ન કરતા હોવાથી તેમને સામ નિર્જરા થાય છે અને તેઓ નવીન બંધ કરતા નથી કર્મ ભોગવતાં હર્ષ, શોક ન થવાનું કારણ તેમની સમ્યક દષ્ટિ થયેલી છે તે જ છે. તેમને આત્મઉપયોગ-શુદ્ધ ઉપવેગ ક્ષણે ક્ષણે જાગ્રત હોય છે. તેથી અજ્ઞાન, મમતા કે અભિમાન તેમને થતાં નથી અને તેના વિના નવીન બંધ થતું નથી. જેમ પહેલાં નાના પ્રકારના પ્રતિકૂળ કષ્ટો સહન કરવાથી પાપકર્મની અકામ નિર્જરા થાય છે તેમ જ પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ સુખ ભેગવવાથી પણ પૂર્વનું બાંધેલ શુભ કર્મ-પુણ્ય ઓછું થાય છે. એટલે તેથી પણ અકામ નિર્જરી થાય છે. આ પ્રમાણે ઈષ્ટનિષ્ટ સુખદુઃખ ભોગવવાથી સમ્યફદષ્ટિ સિવાય નિજ રા થાય છે, જે નિર્જરા સર્વ પ્રાણીને હોય છે. અહીં આ શંકા ઉત્પન્ન થવી ગ્ય છે કે આવી નિર્જ રા સર્વ જે કરે જ છે તો તમે આ નિર્જરાતત્વમાં નવીન શું બતાવ્યું? વળી આવી નિર્જરાથી શું સંસારના બીજભૂત કર્મોને નાશ થઈ શકે છે ? જે સુખદુઃખ ભોગવવાથી કર્મને નાશ થતો હોય તે તે તે સર્વને થયા જ કરે છે; તે પછી ધર્માધર્મની વ્યવસ્થાની મનુષ્યને શી જરૂર છે? આનો ઉત્તર આ પ્રમાણે છે. સર્વ જી સુખદુઃખ અનુભવીને કમ ઓછાં કરે છે તે વાત ચક્કસ તેમ જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy