________________
ધ્યાનદીપિકા
[ ૭૭ ]
મેળે કરાયેલા કમ કાઢવાના ઉપાયે ઉપયોગી થતા નથી માટે તેવા અનુભવી ગુરુની નિશ્રાએ જ કર્મરોગની દવા કરવી, જે ભવિષ્યમાં કલ્યાણનું કારણ થાય છે.
સંવર ભાવના ૮ अशेषाश्रवरोधो यः संवरोऽसौ निगद्यते । द्रव्यतो भावतश्चापि स द्विधेति प्रवर्तते ॥३१।। यः कर्मपुद्गलादानविच्छेदः स्यात्तपस्विनाम् । स द्रव्यसंवरो ज्ञेयो योगिभिर्भावितात्मभिः ॥३२॥ यः संसारनिमित्तस्य क्रियाया विरतिः सताम् । स भावसंवरो ज्ञेयः सर्वसंवृतयोगिनाम् ॥३३॥
જે સર્વ આશ્રવને રેધ કરે તેને સંવર કહે છે. તે દ્રવ્યથી અને ભાવથી એમ પ્રકારે પ્રવર્તે છે. જે જ્ઞાનીઓને કર્મ પુદ્ગલ લેવાનું બંધ થાય છે, તે ભાવિતાત્મા યોગીઓએ દ્રવ્યસંવર જાણ. જે પુરુષને સંસારના નિમિત્તભૂત ક્રિયાની વિરતિ (નિવૃત્તિ) થાય છે તે સર્વથા સંવૃત્તિ (નિવૃત્ત) ગીઓને ભાવસંવર જાણો.
ભાવાર્થ – પૂર્વે આશ્રવભાવનામાં કર્મને આવવાના હેતુઓ-રસ્તાઓ બતાવ્યા. હવે આ સંવરભાવનાની અંદર આવતા કર્મને કેવી રીતે અટકાવવા તે બતાવવામાં આવશે. રાગાદિ અશુદ્ધ પરિણામને ત્યાગ કરવાથી કર્મ પરમાણુંઓનું આગમન રોકવું તે સંવર કહેવાય છે. સંવરનો અર્થ જ એ થાય છે કે સંવરવું-એકઠું કરવું શું સંવરવું કે એકઠું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org