SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] ધ્યાનદીપિકા વાય છે. રાગ, દ્વેષ કે અજ્ઞાનભાવે આસક્તિપૂર્વક તે કર્મ કરવાથી અશુભ કર્મ બંધાય છે. વિવિધ પ્રકારની મનની વૃત્તિઓ, વચનની વીચીઓ અને શરીરની પ્રવૃત્તિઓ, તે શુભાશુભ કર્મબંધનનાં કારણ છે, આચારાંગસૂત્રમાં પણ આ જ પ્રમાણે મન, વચન અને શરી. રથી કરવા, કરાવવા અને અનુમદિવાની ક્રિયાને જ કર્મ બંધનનાં કારણભૂત કહી છે. કર્મબંધનનાં બીજા કારણોને હરકઈ રીતે આ ત્રણમાં સમાવેશ થઈ શકે છે. આ જ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. સમુદ્રની અંદર ચાલ્યા જતા વહાણને છિદ્ર પડવાથી જેમ તે છિદ્ર દ્વારા પાણી વહાણમાં ભરાઈ જાય છે અને જે હોશિયાર નાવિકકસાન તે પાણીને કાઢી ન નાખે તથા પડેલા છિદ્રને બંધ ન કરી શકે તે તે વહાણ ડૂબી જાય છે, તેમ જ આ જીવ મન, વચન, કાયાની રાગદ્વેષ અજ્ઞાનજન્ય કિયાવાળાં છિદ્ર વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે અને જે તે જીવને ઉસ્તાદ ગુરુરૂપ કપ્તાન ન મળે તે આ જીવરૂપ વહાણ તળિયે જ બેસી જાય છે. અર્થાત્ જીવ વિવિધ પ્રકારની દુર્ગતિઓમાં રઝળે છે. આ આશ્રવને રોકવાના રસ્તાઓ સદ્ગુરુ દ્વારા જ સમજવા જેવા છે. કારણ કે રેગેની માફક દવાઓ પણ અનેક હોય છે. પણ નાડી પરીક્ષા કરીને વૈદ્ય જે દવા આપે છે તે તરત તેની અસર થઈ શરીર નીરોગી બને છે. તે સિવાય પુસ્તકમાં લખેલી દવા વાંચીને કરવાથી કે દવા ખાનામાં ભરેલા બાટલાઓ પીવાથી ઉપયોગી અસર થતી નથી, તેમ સદ્ગુરુ વૈદ્ય કમરની પરીક્ષા કર્યા વિના પિતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy