________________
[ ૭૪ ]
ધ્યાનદીપિકા
કરવું? વિવિધ પ્રકારે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ ભાવમાં ફેલાયેલી, વિખરાયેલી મને વૃત્તિઓને સંવરવી, એકઠી કરવી, એક ઉત્તમ સાધ્યબિન્દુ રાખી તેમાં તે વૃત્તિઓના પ્રવાહને ચલાવો અને છેવટે તેને આત્મામાં લય કરે. વૃત્તિઓ મનને હોય છે. મનને સંવર કહેવાથી તેમાં વચન અને કાયાનો પણ સમાવેશ થઈ ગયો સમજો, કારણ કે મનમાં કઈ પણ પ્રકારની ઈચ્છાનું કુરણ થયા સિવાય વચન કે શરીરની પ્રવૃત્તિ થવી સંભવતી નથી.
દેશસંવર અને સર્વ સંવર એમ સંવરના બે ભેદ થાય છે. થોડે થોડે અમુક વૃત્તિનો આશ્રવ રેક તે દેશસંવર કહેવાય છે. જેમ કે હિંસક સ્વભાવવાળી એકાદ ખરાબ વૃત્તિને રોકવી યાને તેમ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને તે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તન રાખવું આ દેશસંવર છે.
સર્વથા સર્વ પ્રકારની વૃત્તિઓને મન, વચન, કાયાના ગેને રેકી નાખવા અને પાછું તેમાંથી ફરી ઉત્થાન કોઈ પણ વખત ન થાય તેવી સ્થિતિમાં આવી રહેવું તે સર્વ સંવર કહેવાય છે.
દ્રવ્યસંવર અને ભાવસંવર એમ પણ સંવર બે પ્રકારને છે. આશ્રવ દ્વારે વડે આવતા કર્મ પુદ્ગલ લેવાનું બંધ કરવું તે દ્રવ્યસંવર છે. જેમ કે અમુક વખત સુધી બોલવું બંધ કરવું કે શરીરની સ્થલ કિયાઓ અટકાવવી, સામાયિકાદિ કરવું, ઈચ્છાઓ-વાસનાઓને માર્યા સિવાય મનાદિ યોગેની પ્રવૃત્તિ અટકાવવી, મહાવતે કે સ્કૂલ વ્રત લેવાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org