________________
વિદ્યાર્થીઓએ સરદારશ્રીને ગૂજરાત વિદ્યાપીઠ વિશે પ્રશ્ન પૂછતાં કહ્યું:
અમે કૉલેજનું શિક્ષણ છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈએ તો અમને ત્યાં કેવું શિક્ષણ મળશે?' સરદારશ્રી પાસે જવાબ તૈયાર જ હતો :
તમે ગુજરાત કૉલેજમાં જે ભણ્યા તે ભૂલી જાઓ એવું વિદ્યાપીઠ શીખવે તોપણ બસ છે.”
૧૪
સરકારી નોકરીને લાત મારું
બોરસદમાં હૈડિયાવેરાની લડત ચાલતી હતી. તે વખતે પ્રજાની સામે સરકારની એક ફરિયાદ એવી હતી કે, ગાંધીજીની ખેડા સત્યાગ્રહની અને અસહકારની લડતોથી લોકોને સત્તાનો ડર રહ્યો નહીં અને બહારવટિયા બહાર પડ્યા તેઓને લોકોએ ઉત્તેજન આપ્યું.
પરંતુ સાધારણ સીધાસાદા માણસોને બહારવટિયા બનાવવામાં સરકારી અમલદારો જ કેવી રીતે કારણરૂપ હોય છે તેનું વર્ણન સરદારશ્રીએ એક જાહેર સભામાં કરતાં કહ્યું હતું : | ‘સિંગલાવ ગામનો પેલો ગુલાબરાજા બહારવટે નીકળ્યો, ત્યારે તો ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા પણ નહોતા. . ‘તે વખતે કલેક્ટર વુડને તે મારવા ફરતો હતો.
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org