________________
ગયું. બીજી વાર વીસ રતલ ઘટી ગયું!
આમ છતાં અંગ્રેજ સરકારે સરદારને પોતાના ડૉક્ટરને તબિયત બતાવવાની પરવાનગી ન જ આપી. વળી આ વખતે સરકાર વધારે કડક બની હતી. તબિયતને કારણે કોઈને પણ ન છોડવાનો તેણે મક્કમ નિરધાર કર્યો હતો.
તે વખતે ચાલી રહેલા બીજા વિશ્વયુદ્ધમાં ૧૯૪૫માં જર્મનીએ નમતું આપ્યું. છતાં જાપાન હજી રણમેદાનમાં હતું. | હિંદના લોકોનો યુદ્ધમાં સક્રિય સહકાર મળે તો યુદ્ધનો જલદી અંત આવે, એવા વિચારથી વાઇસરૉયે જેલમાં પૂરેલા નેતાઓને ૧૯૪૫ની પંદરમી જૂને મુક્ત કર્યા અને બધા પક્ષોની પરિષદ ૨૫મી જૂને સિમલામાં બોલાવી.
પર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org