SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સરદારે માર્ચની શરૂઆતમાં હજીરા છોડ્યું. આ વાતની ગાંધીજીને જાણ થતાં તેમણે સરદારને પત્ર લખી જણાવ્યું : ‘ગમે ત્યાં ફરો, પણ આરામના, સ્નાનના અને ખાવાના વખત સાચવો. વાઇસરૉય આ બધું સાચવે છે, તો આપણે કેમ નહીં ?' પરંતુ સરદારે તો રખડવાનું ચાલુ જ રાખ્યું. એમાં બધી સગવડો શી રીતે સચવાય ? એટલે ગાંધીજીએ ફરીથી કાગળમાં ચેતવણી આપી : ‘આંતરડાં હજી ઠેકાણે નથી પડતાં એમાં નવાઈ નથી. એને લાંબો આરામ જોઈએ જ.' પરંતુ કર્મયોગી સરદારશ્રીની ફિલસૂફી જુદી જ હતી. તેઓ ઘણી વાર કહેતા : ‘લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ સાચવ કર્યા કરવું તેના કરતાં કામ કરતાં કરતાં થોડાં વરસ વહેલા મરી જવાય તો શું થઈ ગયું ?’ '૪૨ની છેલ્લી જેલયાત્રામાં આંતરડાની આ જૂની બીમારીથી સરદાર બહુ પીડાયા અને છેક નંખાઈ ગયા. બીમારીનો હુમલો દિવસો સુધી ચાલતો અને તે વખતે સરદારને અસહ્ય વેદના થતી. તેમનાથી સૂઈ પણ શકાતું નહીં! કલાકો સુધી બેસી રહેવું પડતું. કંઈ ખોરાક પણ લઈ શકાતો નહીં. માત્ર પાણી પીને રહેતા. ૧૯૪૩ના ઉનાળામાં એમનું વજન પંદર રતલ ઘટી Jain Education International ૫૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy