________________
સરદારે માર્ચની શરૂઆતમાં હજીરા છોડ્યું. આ વાતની ગાંધીજીને જાણ થતાં તેમણે સરદારને પત્ર લખી જણાવ્યું :
‘ગમે ત્યાં ફરો, પણ આરામના, સ્નાનના અને ખાવાના વખત સાચવો. વાઇસરૉય આ બધું સાચવે છે, તો આપણે કેમ નહીં ?'
પરંતુ સરદારે તો રખડવાનું ચાલુ જ રાખ્યું. એમાં બધી સગવડો શી રીતે સચવાય ?
એટલે ગાંધીજીએ ફરીથી કાગળમાં ચેતવણી આપી : ‘આંતરડાં હજી ઠેકાણે નથી પડતાં એમાં નવાઈ નથી. એને લાંબો આરામ જોઈએ જ.'
પરંતુ કર્મયોગી સરદારશ્રીની ફિલસૂફી જુદી જ હતી. તેઓ ઘણી વાર કહેતા :
‘લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ સાચવ કર્યા કરવું તેના કરતાં કામ કરતાં કરતાં થોડાં વરસ વહેલા મરી જવાય તો શું થઈ ગયું ?’
'૪૨ની છેલ્લી જેલયાત્રામાં આંતરડાની આ જૂની બીમારીથી સરદાર બહુ પીડાયા અને છેક નંખાઈ ગયા.
બીમારીનો હુમલો દિવસો સુધી ચાલતો અને તે વખતે સરદારને અસહ્ય વેદના થતી. તેમનાથી સૂઈ પણ શકાતું નહીં! કલાકો સુધી બેસી રહેવું પડતું. કંઈ ખોરાક પણ લઈ શકાતો નહીં. માત્ર પાણી પીને રહેતા.
૧૯૪૩ના ઉનાળામાં એમનું વજન પંદર રતલ ઘટી
Jain Education International
૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org