SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એ સમપદ’ ૩. બુદ્ધો હંમેશાં પરસ્પર-વિરોધી કથના જ કરે છે. પરંતુ તે તેવું પણ બાલે છે એ જ બલિહારી છે. પોતાના જ કહેલાનું વિરોધી એવું જ તે કહી શકે. તે બાબતમાં તેમની લાચારી જ હાય છે. કારણકે, અનિર્વચનીય એવા પરમ સત્ય વિષે બેલવું એટલે જ પાતાના કહેલાના વિરોધ કરવા. તમે કશું ન બાલા તેપણ તે કંઈક કહી દીધા જેવું જ નીવડે – ભલે શબ્દો વાપર્યા ન હેાય.૧ ૪. બુદ્ધે પેાતાના સૌથી મહાન ગ્રંથનું નામ ધમ્મપદ' આખું અને ઉપરાઉપરી વિરોધી કથને જ તેમાં ભરી દીધાં. તે એટલાં બધાં વિરોધી કથના કરે છે કે મારા સિવાય બીજું કાઈ તેમને તે વિષે ટકાર કરી શકે નિહ. २ પરંતુ પિતા પેાતાના સંતાનને કોઈ વાર ખાળામાં બેસાડીને જ તેનાથી કરાતે વિરોધ હસતાં હસતાં સાંભળ્યા કરે છે; અને સંતાન તેમની છાતી ઉપર ચડી બેસી તેમને હરાવ્યાના આનંદ માણે છે. જોકે, ખરી રીતે પિતાએ જ જાણી જેઈને તેને જીતવા દીધા હેાય છે. બધા બુદ્ધો પણ પેાતાને ચાહનારા સૌને તેમને હરાવ્યાના આનંદ લેવા દે છે. શિષ્ય પેાતાનાથી સવાયે નીકળે એના જેવા આનંદ ગુરુને બીજો હાય નહિ, - - બુદ્ધ પેાતાના ગ્રંથની શરૂઆત ‘ધમ્મપદ' શબ્દથી જ કરે છે— એમ જણાવવા માટે કે જે ન કહી શકાય તેવું – ન બોલી શકાય તેવું છે, તેને વિષે તે કંઈક કહેવા માગે છે. પરંતુ તેમણે ‘ન કહી શકાય —ન બોલી શકાય એવા તત્ત્વનું એવી સુંદર રીતે નિરૂપણ કર્યું છે કે જેથી ધમ્મપદ ’ગ્રંથ એવરેસ્ટ જેવા બની રહ્યો છે. પર્વતા તે . ઘણાય છે; પરંતુ એવરેસ્ટની ઊંચાઈએ કોઈ પર્વત પહોંચી ન શકે. ૧. જેમકે, ઉપનિષદોમાં ‘નેતિ નેતિ’ એમ પરમ તત્ત્વ વિષે તુ છે, તે જ પરમ તત્ત્વ વિષે ધણું કહી દીધા જેવું નથી ? – સ”૦ ૨. defeat him. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005655
Book TitlePustako Je Mane Gamya Che
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year2002
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy