________________
રામ આદિનો માતાઓને નમસ્કાર રામ-લક્ષ્મણતથા સીતાએ માતાઓને નમસ્કાર કર્યા. વિશલ્યા આદિનૂતનપુત્રવધૂઓએ પણ સાસુઓને નમસ્કાર કરી તેમના આશીર્વાદ મેળવ્યા. કૌશલ્યાએ ભાઈની સેવા તથા તેના સહવાસ માટે રાજસુખોનો ત્યાગ કરનારલક્ષ્મણની પ્રશંસા કરી. લક્ષ્મણે રામતથા સીતાના સ્નેહની આદરપૂર્વક પ્રશંસા કરી. પોતાની લઘુતા બતાવતાં તેમણે કહ્યુંમાતુશ્રી ! સીતાજીના અપહરણ માટે હું જ ઉત્તરદાયી છું.
નવા શસ્ત્રનો પ્રયોગ કરવા માટે ઉત્સુક બનીને મેં જ શંબૂકનો વધ કર્યો હતો. ત્યારથી જ સીતા-હરણની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. પરંતુ આપના આશીર્વાદના પ્રતાપે અમે વિશાળ મહાસાગર પાર કરીને લંકા પહોંચ્યા તથા વિજયશ્રી પ્રાપ્ત કરીને પાછા આવ્યા.'' વિનયશીલ ભરતે રામના પુનરાગમન નિમિત્તે અયોધ્યામાં એક મહાન ઉત્સવનું આયોજન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org