________________
છે
રામ વગેરેનો અયોધ્યામાં પ્રવેશ | સોળમા દિવસે રામ, લક્ષ્મણ તથા સીતાજી લંકાવાસીઓની ઉપસ્થિતિમાં પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા નીકળ્યા. ભરત તથા શત્રુદન પણ હાથી પર આરૂઢ થઈને તેમના સ્વાગત માટે આવી ગયા. ક્ષિતિજ પર પુષ્પક વિમાનને જોઈને જ તેઓ હાથી પરથી ઉતરીને જમીન પર ચાલવા લાગ્યા.
રામ, લક્ષ્મણ તથા સીતાજી વિમાનમાંથી ઉતર્યા. નિરંતર વહેતી અશ્રુધારાઓથી ભરત તથા શત્રુને પોતાના બંને ભાઈઓ તથા ભાભીના ચરણોનું પ્રક્ષાલન કર્યું. રામે તેમને દઢ આલિંગન આપીને વિમાનમાં બેસાડ્યા. આનંદવિભોર તથા રામદર્શનને માટે વ્યાકુળ નગરજનો વિશેષ સાજ-શણગાર સજીને અયોધ્યાના માર્ગો પર ઉભા હતા. તેઓએ રામચંદ્રજીનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. સ્વર્ગ તથા ધરતીના મધુર વાદ્યોના સુરોની સાક્ષીએ રામ, લક્ષ્મણ તથા સીતાનો અયોધ્યામાં પ્રવેશ સંપન્ન થયો. વિમાનમાંથી ઉતરતાં જ રામચંદ્રજી સત્ત્વર પોતાની માતાના દર્શન કરવા તેમના મહેલમાં ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org