SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ o{(ત (f) /(N T & Ilf|| (( )e / ( હs, UTTITUTIFIjll. | લંકાના અતિથિગૃહમાં નારદજીનું આગમન. રામ, લક્ષ્મણ, સીતા તથા તેમની સેનાના સદસ્યોએ છ વર્ષખુશીથી લંકામાં વ્યતીત કર્યા. નારદજી લંકામાં પધાર્યા, ત્યારે તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરી રામે તેમના આગમનનું કારણ પૂછયું. ત્યારે નારદજીએ તેમની માતાઓની ચિંતાની જાણકારી આપી. નારદજીની વાત સાંભળીને રામચંદ્રજીએ રાજા બિભીષણને કહ્યું – “રાજન્ ! તમારી ભક્તિ અને આતિથ્યના કારણે અમે અમારી માતાનું દુઃખ પણ ભૂલી ગયા છીએ. છેલ્લા છ વર્ષથી અમે અહીંયા છીએ. અમારા વિયોગમાં એમનું મૃત્યુ ન થઈ જાય, તે માટે અમારે અયોધ્યા પહોંચવું જોઈએ. રાજ! તમે એવું ન વિચારતાં કે તમારા આતિથ્યમાં કોઈ ક્ષતિ છે, માટે અમે ફરીથી અયોધ્યા જવા ઇચ્છીએ છીએ. ખરેખર તમારા આતિથ્ય જ અમને છ વર્ષ સુધી અહીં બાંધી રાખ્યા છે.” બિભીષણે કહ્યું- “આપની માતાઓનું દુ:ખ દૂર કરવા માટે આપને અહીંથી સત્તર જવું અનિવાર્ય છે. પરંતુ માત્ર સોળ દિવસ આપ લંકાનિવાસીઓને આપના સહવાસથી વંચિત ન કરો. આ સમય દરમ્યાનમાં મારા શિલ્પીઓ અયોધ્યા જઈ એને સ્વર્ગ જેવી સુંદર નગરી બનાવશે. પછી આપ પધારજો.'' રામચંદ્રજીના પુનરાગમનના સમાચાર તેમની માતાઓને આપતાં નારદજીએ કહ્યું – “દુ:ખ અને નિરાશાની જે કાળી રાતે અયોધ્યા, અયોધ્યાનિવાસી તથા આપના હૃદયોને દીર્ઘ કાળ સુધી સુખથી વંચિત રાખ્યા હતા, તે હવે તરત જ પૂર્ણ થવાની છે. કેવળ સોળ દિવસ પછી તમે રામ, લક્ષ્મણ તથા સીતાજીના ફરીથી દર્શન કરી શકશો.' આ સાંભળીને માતાઓ અતિઆનંદિત થઈ. કેવળ સોળ દિવસના અલ્પ સમયમાં રાજા બિભીષણના શિલ્પીઓએ અયોધ્યાની કાયા એટલી રમણીય બનાવી દીધી કે તે સાક્ષાત્ કુબેરની અલકાપુરીથી વધુ સુંદર દેખાવા લાગી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy