________________
68
.
બી
રાવણ અને લક્ષ્મણનું યુદ્ધ બિભીષણના શરીરમાં આ શક્તિને સહન કરવાનું સામર્થ્યન હતું. તેથી રામે લક્ષ્મણને કહ્યું- “હે અનુજ ! આપણો આશ્રિત બિભીષણ આ અમોઘવિજયા શક્તિના પ્રયોગથી મરી જશે, સત્વર જઈને એની રક્ષા કરો.” લક્ષ્મણ ત્વરિત રાવણની સાથે યુદ્ધ કરવા માટે ઉભા થઈ ગયા. રાવણે તેને કહ્યું- “હું આ શક્તિ તને મારવા માટે છોડતો નથી, પરંતુ રાજદ્રોહી, વંશદ્રોહી, માતૃભૂમિદ્રોહી બિભીષણનો વધ કરવા માટે છોડી રહ્યો છું. જો તું એની રક્ષા કરવા ઇચ્છતો હોય, અથવા તેના માટે પ્રાણત્યાગ કરવા માંગતો હોય, તો તને જ મારવો યોગ્ય છે.' રાવણે આ રીતે લક્ષ્મણના મનમાં ભયનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ લક્ષ્મણ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા. અંતમાં રાવણે લક્ષ્મણ પર તે પ્રચંડશક્તિ છોડી. ભામંડલ, સુગ્રીવ, નીલ, નલ, હનુમાન તથા અન્ય સુભટોએ પોતાના શસ્ત્રોદ્વારા તે શક્તિને ભેદવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુતે બધો નિષ્ફળ ગયો અને તે શક્તિએ લક્ષ્મણના વક્ષ:સ્થળ પર પ્રહાર કર્યો. તત્કાલ લક્ષ્મણ મૂછિત થઈ ગયા.
આદિ સુભટોએ જેવું પાણી છાંટ્યું, કે તરત જ રામચંદ્રજી હોશમાં આવી વિલાપ કરવા લાગ્યા. ત્યાં લંકામાં સીતાજી પણ આ દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ બેહોશ થઈ ગયાં. પાણી છાંટતાં તે હોશમાં આવ્યાં અને વિલાપ કરવા લાગ્યાં. એટલામાં અવલોકિની વિદ્યાના જાણકારે સીતાને આમ કહીને આશ્વાસન આપ્યું કે- “કાલે સવારે લક્ષ્મણ ફરીથી સ્વસ્થ થઈ જશે.” અહીંયા બિભીષણે રામને કહ્યું- ‘‘આ શક્તિદ્વારા પીડિત મનુષ્ય લગભગ એક રાત્રિ સુધી જ જીવિત રહી શકે છે. તેથી એના વળતા પ્રહાર માટે મંત્ર તંત્રાદિનો પ્રયોગ આવશ્યક છે.’
ક્રોધિત રામચંદ્રજીએ રાવણ પર આક્રમણ કર્યું તથા પાંચ વાર તેને રથ વિહીન બનાવ્યો. રાવણે વિચાર્યું કે આ અમોઘશક્તિનાપ્રહારથી લક્ષ્મણ તો જીવી જ નહિ શકે અને પોતાના અનુજના મૃત્યુથી વિહ્વળ રામ તે જ રાત્રે પ્રાણ ત્યાગી દેશે. તેથી યુદ્ધ કરવાનું હવે કોઈ પ્રયોજન નથી. એટલામાં સૂર્યાસ્ત થયો અને રાવણ ફરીથી લંકા પાછો ફર્યો.
એટલામાં કોઈ રામસેનિક એક વિદ્યાધરલક્ષ્મણની પાસે લાવ્યો. એ વિદ્યાધરે કહ્યું- “મારો અનુભવ એ છે કે ભરતના મામા દ્રોણમેઘની પુત્રી વિશલ્યાના સ્નાનજળથી આ શક્તિ અવશ્ય નષ્ટ થઈ જશે, કારણ કે તેણે પૂર્વજન્મમાં કઠોર તપ કર્યો હતો.” આ સાંભળતાં જ રામચંદ્રજીએ ભામંડલ, હનુમાન અને અંગદને અયોધ્યા મોકલીને ત્યાંથી ભરતને સાથે લઈ કૌતુકમંગલ નગર જવાનો આદેશ આપ્યો. રામચંદ્રજીની આજ્ઞાના અનુસાર તેઓ દ્રોણમેઘની રાજધાની કૌતુકમંગલ નગરે પહોંચ્યા અને વિશલ્યાને પોતાની સાથે મોકલવાની વિનંતી કરી. દ્રોણમેઘને કોઈક નૈમિત્તિકે કહ્યું હતું કે વિશલ્યાના લગ્ન દશરથપુત્ર લક્ષ્મણ સાથે થશે. તેથી તેઓએ સત્વર વિશલ્યાને તેઓની સાથે જવાની અનુમતિ આપી. શ્રી રામચંદ્રજીના સુભટ પાછા અયોધ્યા ગયા. ત્યાં ભરતને મૂકીને તેઓ રામની પાસે આવ્યા.
યુદ્ધભૂમિમાંથી રામચંદ્રજી પોતાની છાવણીમાં પાછા આવ્યા. ભૂમિપર પડેલા લક્ષ્મણને જોઈને તે સ્વયં બેહોશ થઈ ગયા. સુગ્રીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org