________________
છે
છે
તે
અને સીતાજીને મુક્ત કરાવો. રામની પત્નીનું કરેલું આ અપહરણ તેને આ ભવ પૂરતું જ નહિ, પરંતુ જન્માંતરમાં પણ ભયંકર દુ:ખ આપનારું નીવડશે.' બિભીષણે કહ્યું- ‘હે રામભક્ત ! આપનું કહેવું પૂર્ણ સત્ય છે. મેં પોતે મારા ભાઈને આ બાબત માટે ખૂબ સમજાવેલ છે. પરંતુ “વિનાને વિપરીત શુદ્ધિઃ” તેમણે મારી વાત માનવાનો સાફ ઈન્કાર કર્યો છે. છતાં પણ હું હજી એક વાર તેને સમજાવવાનો ફરી પ્રયાસ કરીશ, કારણ કે હવે આ એક રાવણના અહંકારનો નહિ, પણ આખી લંકાના અસ્તિત્વનો પ્રશ્ન બન્યો છે.''બિભીષણના મહેલમાંથી નીકળીને હનુમાન દેવરમણ ઉદ્યાનમાં ગયા.
ત્યાં અશોક વૃક્ષના નીચે
તેમણે સીતાજીને બેઠેલા જોયા. S DILITUDENTS
વિખરાઈને છૂટી ગયેલી તેમની વાળની લટો મોં અને ગાલ ઉપર પડેલી દેખાતી હતી. આંખમાંથી સતત વહેતાં આંસુજાણે કે ધરતીનું પ્રક્ષાલન કરી રહ્યા હતા. એકધારા એકવીસ દિવસના ઉપવાસથી તેમનું શરીર દૂબળું અને મોઢાની લાલી ફીકી પડી ગઈ હતી, પરંતુ તેમનો અડગ નિર્ધાર વજની જેમ અચલ હતો. આંખો આગની
જ્વાળાની જેમ રોષથી ભરેલી દેખાતી હતી. ડગમગ્યા વગર એક સરખી બેઠેલી સીતાજી કોઈ યોગિની જેવી દેખાતી હતી. તેમનું ધ્યાન માત્ર રામ તરફ જ કેન્દ્રિત જણાતું હતું. આ દૃશ્ય જોઈને હનુમાનજી મનમાં ને મનમાં બોલ્યા- “ખરેખર, આ તો મહાસતી છે. આમના વિયોગથી રામચંદ્રજીને મરણ સમાનદુઃખનો અનુભવ થાય, તે સ્વાભાવિક છે. આ અપહરણના કુકર્મથી રાવણને બે રીતે સજા થવાની છે, એક તો દશરથ પુત્રના હાથે મૃત્યુ અને બીજું ભવાંતરમાં પોતાના ભયંકર પાપકર્મનું ફળ.
રામચંદ્રજીની વીંટી જોઈને આશ્ચર્ય પામેલા સીતાજી
ને તે પછી હનુમાનજીએ અદૃશ્ય થઈને સીતાજીના ખોળામાં રામચંદ્રજીએ આપેલી તેમની વીટી નાંખી. વીટી જોતાં જ સીતાજી આનંદથી પુલકિત થઈ ગયા.
સીતાજીના મોઢા ઉપર આનંદની રેખાઓ જોતાં જ ત્રિજટાએ રાવણને આ સમાચાર પહોંચાડ્યા કે- “આજ દિવસ સુધી સીતાનું મુખારવિંદ ઉદાસ અને દુ:ખી દેખાતું હતું ! તેના ઉપર આજે અચાનક આનંદની લહેર દેખાય છે. નક્કી તે હવે રામને ભૂલી ગઈ જણાય છે.” આવું બધું સાંભળીને રાવણે ફરીથી મંદોદરીને સીતા પાસે જવા કહ્યું. રાવણની પટરાણી સતી મંદોદરી ફરીથી પોતાના જ પતિની દૂતી બનીને દેવરમણ ઉદ્યાનમાં ગઈ. તેણે સીતાને કહ્યું - “રાવણ તો અતિશય બળવાન, ઘણા વૈભવવાળો અને દેખાવમાં અતિસુંદર છે. તમારું રૂપ અને લાલિત્ય પણ અતિસોહામણું છે. દુર્ભાગ્યથી તમે બન્ને એક બીજાના પ્રેમથી દૂર રહ્યા છો. આજે આપનું હસતું આનંદથી ભરપૂ મુખડું જોતાં મને હવે લાગે છે કે તમારા બંનેનું નસીબ ખૂલવાનું છે. તે પછી તમે લંકાપતિના પ્રેમનો સ્વીકાર કેમ કરતા નથી ? જો આપ આજે
સ્વીકાર કરશો, તો હું અને મારાથી નાની બીજી રાણીઓ જીવનભ તમારી દાસીઓ બની તમારી સેવા-ચાકરી કરીશું.”
Jain Education
For Personal & Private Use Only
www.jainelibrary.org