________________
ત્યારબાદ વાલીપુત્ર ચંદ્રરશ્મિના મનમાં શંકા થઈ. તેથી બનાવટી રૂપ ધારણ કરેલા સુગ્રીવને તેણે રાણીવાસમાં દાખલ થતાં અટકાવ્યો. ત્યારબાદ સૈનિકોને બોલાવવામાં આવ્યા. અસલ સુગ્રીવને પણ તેના સૈનિકો ઓળખી શક્યા નહિ અને સેનામાં બે વિભાગ પડી ગયા. તેથી અસલ સુગ્રીવે હનુમાનજીને પોતાની મદદે બોલાવ્યા. તેઓ પણ બંને વચ્ચેનો ભેદ જાણી ન શક્યા. ત્યાર બાદ સુગ્રીવે રામચંદ્રજીને સંદેશો મોકલ્યો - “જો મને આ સમસ્યામાંથી છુટકારો મળશે, તો હું આપનો સેવક બનીને રહીશ અને સીતાજીની શોધ કરવામાં મદદ કરીશ.” પરોપકાર કરવા સદાય ઉત્સુક રામ કિષ્કિધાપુરી પધાર્યા. બંને સુગ્રીવે લડવા માટે પડકાર ફેંક્યો. બંને સુગ્રીવની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું, જેનાથી પૃથ્વી પણ ધણધણવા લાગી. બંને સુગ્રીવોનો દેખાવ એક સરખો હતો. તેથી રામચંદ્રજી પણ કોઈ ફરક પારખી ન શક્યા.
સિંહના જેવો પરાક્રમી મારો પુત્ર આજે સસલા જેવો બીકણ બની ગયો છે. આજે આપની વિધવા બહેન આપના શરણે આવી છે. જો આપ મારા આવા અપમાનનો બદલો લેશો, તો જ મારા માર્યા ગયેલા પતિ, પુત્ર, દિયરો અને સૈનિકોના આત્માને શાંતિ મળશે.”
પોતાની બહેન શૂર્પણખાને દિલાસો આપતાં રાવણે કહ્યું- “હે પ્રિય બહેન ! શું તું રાવણના પરાક્રમોથી અજાણ છે ? શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા તેમજ માયાવી વિદ્યા ઉપરાંત મારી પાસે અજોડ શક્તિ અને બુદ્ધિ પણ છે ! હું ત્રણ ખંડનો ધણી છું. દેવો પણ મારું નામ સાંભળતાં ડરના માર્યા ગભરાઈ જાય છે. માટે હે બહેન ! તારી સાથે જે કાંઈ અઘટિત બન્યું છે, તેથી હું દુઃખ અનુભવું છું અને જેમ બને તેમ જીથી તારા પતિ તેમજ પુત્રની હત્યા કરવાવાળાઓને યમલોકે પહોંચાડી દઈશ.”
છેવટે રામે પોતાના વજાવર્ત ધનુષ્યનો ટંકાર કર્યો. ટંકારનો અવાજ એટલો પ્રચંડ હતો કે પેલા વિદ્યાધર સાહસગતિની પ્રસારણી વિદ્યા ડરની મારી હરણી ભાગે, તેમ નાસી ગઈ. રામે બનાવટી સુગ્રીવને કહ્યું – ‘અધમ ! પાપી ! શું તું પારકી સ્ત્રી પ્રત્યે કામભોગની ઇચ્છા રાખે છે ?'' આટલું કહીને એક જ બાણથી તેને વીંધી નાંખ્યો. આમ બનાવટી વેશધારી સુગ્રીવનો વધ કરી રામચંદ્રજીએ અસલી સુગ્રીવને કિષ્કિધાપીના રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
સુગ્રીવ પોતાની તેર પુત્રીઓ રામને પરણાવવા તૈયાર થયો. ત્યારે રામચંદ્રજીએ કહ્યું – “સૌથી પહેલાં મારે સીતાને શોધી કાઢવી જરૂરી છે, તે માટે અત્યારે બીજી કોઈ કન્યાઓ સાથે મારે લગ્ન કરવા
એક તરફ સીતાજીને મેળવવા ઉઠેલી વિષયસુખની વાસના, તો બીજી તરફ પોતાના બનેવી અને ભાણેજના મોતથી ઉત્પન્ન થયેલા દુઃખને લીધે રાવણની ઉંઘ હરામ થઈ ગઈ. તેથી આખી રાત પડખા ફેરવ્યા કરતો હતો, પણ ઉંઘ આવતી જ નહોતી. ત્યારે પટરાણી મંદોદરીએ તેને પૂછયું- “હે સ્વામિનાથ ! તમે ત્રણ ખંડના ધણી હોવા છતાં એક સામાન્ય માણસની જેમ ડઘાઈ જઈને અનિદ્રામાં કેમ પીડાઈ રહ્યા છો ? હું આપની અર્ધાગિની એટલે કે પત્ની છું. આપની આવી માનસિક પરિસ્થિતિ જોઈને મારું કાળજું કંપી રહ્યું છે. આપ ખુલ્લા દિલથી આપના મનની વાત મને કરો.” રાવણે કહ્યું- “ત્રણ ખંડનો માલિક હોવા છતાં પણ સીતાના હૃદયમાં મારા માટે કોઈ સ્થાન નથી. આ વાતથી મારી ઉંઘ હરામ થઈ ગઈ છે. જો તમે સીતા પાસે જઈ તેને મારા પ્રત્યે અનુરાગવાળી કરી આપશો, તો હું તમારો જીંદગીભર આભારી બની રહીશ.
નથી.”
ખર અને દૂષણના મરણના સમાચારલંકામાં મળતાં જ રાવણની પત્ની મંદોદરી અને તેમના પરિવારની બધી સ્ત્રીઓ કલ્પાંત કરવા લાગી. વિધવા થયેલી શુર્પણખા પણ પોતાના પુત્ર સુંદને સાથે લઈને શોક : દેખાડવા લંકા પહોંચી ગઈ. રાવણ મળતાંવેંત તે પોતાની છાતી કૂટતી કુટતી બોલવા લાગી – “શત્રુએ મારા પતિની હત્યા કરી, મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો. મારા દીકરા જેવા બે દિયરોને પણ જીવતા ન છોડ્યા. મારા પતિના ચૌદ હજાર સૈનિકોને વેરવિખેર કરી કાળના વિકરાળ જડબામાં તે બધાની આહુતિ આપી દીધી. આપે જે પાતાળલંકાનું રાજ્ય મારા પુત્રને આપ્યું હતું, તે પણ પડાવી લીધું.
મેં ગુરુ ભગવંતની સમક્ષ * નિયમ પણ લીધેલ છે કે કોઈ પણ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ શરીર સુખ નહિ ભોગવું. જો રાજીખુશીથી સીતા મારી પાસે આવીને મને શરીરસુખ આપશે, તો મારા નિયમનો કોઈ ભંગ નહિ થાય.”
* એક વાર રાવણ મેરૂપર્વત પર ગયા હતા. ત્યાં અનંતવીર્ય મુનિ દેશના આપી રહ્યા હતા. વંદનાદિ કરવા પૂર્વક બેસીને તેમની દેશના સાંભળી. પછી તેણે મુનિશ્રીને પ્રશ્ન પૂછ્યો - ‘મારું મૃત્યુ કેવી રીતે થશે?” ત્યારે મુનિશ્રીએ જવાબ આપતાં કહ્યું હતું- ‘તમે પ્રતિવાસુદેવ છો, તમારું મરણ પરસ્ત્રીના કારણે વાસુદેવના હાથે થશે. ત્યારે રાવણે એમની પાસે નિયમ લીધો હતો- ‘હું કોઈ પણ સ્ત્રી સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શરીરસુખ નહિ ભોગવું.”
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org