________________
54
હવે રામ જંગલમાં ખૂણે-ખૂણે સીતાની શોધખોળ કરવા લાગ્યા. પેલી તરફ લક્ષ્મણ ખર સાથે લડાઈ કરી રહ્યા હતા. એટલામાં ખરના નાના ભાઈ ચંદ્રોદરનો પુત્ર વિરાધ પોતાની સેના સાથે લક્ષ્મણની મદદે આવ્યો. તે તેમને કહેવા લાગ્યો – ‘‘હું વિરાધ આપનો સેવક છું તેમજ આપના શત્રુઓનો શત્રુ છું. રાવણે મારા પિતા ચંદ્રોદરનું રાજ્ય પડાવી લીધું છે, વિદ્યાધર ખરને ત્યાં અધિપતિ નીમ્યો છે'', પોતાના શત્રુ વિરાધને લક્ષ્મણની મદદે આવતો જોઈને ખર રાજા કોપાયમાન થયો. તેણે લક્ષ્મણને પડકાર કર્યો. લક્ષ્મણે પડકાર ઝીલી તેના ઉપર બાણની ઝડી વર્ષાવી. બન્નેની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. છેવટે લક્ષ્મણે ક્ષુરપ્ર નામના શસ્ત્રથી ખરનું માથું કાપી નાંખ્યું. યુદ્ધમાં ખરનો ભાઈ દૂષણ પણ માર્યો ગયો. અને યુદ્ધ પૂરું થયું.
યુદ્ધ સમાપ્ત થતાં જ લક્ષ્મણ પોતાની સાથે
વિરાધને લઈ રામની સમક્ષ ગયા. ત્યાં તેમને સીતાજીનું અપહરણ થયાના સમાચાર મળ્યા. તેથી વિરાધે તત્કાળ પોતાના સૈનિકોને સીતાજીને શોધવા મોકલ્યા. પણ સીતાજીનો પત્તો લાગ્યો નહિ. તેથી તેણે લક્ષ્મણને કહ્યું– ‘આપ મારી સાથે પાતાળ લંકા પધારો, ત્યાં જઈને આપણે સીતાજીની શોધ-ખોળ કરીશું.’'
પાતાળ લંકા પહોંચતાં જ ત્યાંના પ્રવેશદ્વાર ઉપર ખરનો પુત્ર સુંદ વિરાધ સામે લડવા આવ્યો. પણ સામા પક્ષે લક્ષ્મણને જોતાં જ તે ત્યાંથી ભાગી ગયો. પાતાળ લંકાથી ભાગીને તે સીધો લંકા પહોંચ્યો. રામ-લક્ષ્મણે પાતાળ લંકામાં પ્રવેશ કરી રાજકુમાર વિરાધને તેના પિતા ચંદ્રોદરના સિંહાસન ઉપર ફરીથી બેસાડ્યો. વિરાધને રાજ્ય પાછું મળતાં તે સુંદના રાજમહેલમાં રહેવા લાગ્યો અને રામ-લક્ષ્મણ ખરના રાજમહેલમાં રહેવા લાગ્યા.
Jain Education International
18
બે સુગ્રીવની લડાઈ
ચોકીદાર દ્વારા બે સુગ્રીવને રોકવું.
કિષ્કિંધાધિપતિ વાનરવંશના સુગ્રીવની પત્નીનું નામ તારા હતું. તારાના રૂપ ઉપર સાહસગતિ નામનો વિદ્યાધર મોહિત થયો હતો. તેણે એક દિવસ પ્રતારણી વિદ્યાનો પ્રયોગ કરીને સુગ્રીવનું બનાવટી રૂપ ધારણ કરી કિષ્કિંધાપુરીમાં પ્રવેશ કર્યો. તે વખતે અસલ સુગ્રીવ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો હતો. આ મોકો જોઈને પેલો બનાવટી રૂપધારી સુગ્રીવ તેના રાણીવાસમાં જવા લાગ્યો. એટલામાં ઉદ્યાનમાં ક્રીડા પૂર્ણ કરીને અસલ સુગ્રીવ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર આવી પહોંચ્યો. ચોકીદારે તેને ત્યાં અટકાવ્યો.
વાનર વંશની સ્થાપના- જુઓ પરિશિષ્ટ - ૫
For Personal & Private Use Only
X
www.jainellbrary.org