________________
48
IP SONT 29/9/99
Jain Education International
For Personal & Private Use Only
લક્ષ્મણ સાથે ખર આદિનું યુદ્ધ
વિવાહ માટેની પોતાની વાતનો અસ્વીકાર અને પુત્રનો વધ થવાથી ક્રોધિત થયેલી શૂર્પણખા પોતાના પતિ પાસે પહોંચી. તેમને પુત્રની હત્યા થઈ હોવાની કથની સંભળાવી. કોપાયમાન થયેલા ખર રાજા
ચૌદહજાર વિદ્યાધરોની સેના લઈને કે યુદ્ધ કરવા માટે આવ્યા. લક્ષ્મણે રામને સીતા પાસે જ રહેવાનો આગ્રહ કર્યો અને પોતાને લડવા જવા માટે રજા આપવા વિનંતી કરી.
રામે તેને રજા આપતાં કહ્યું- ‘‘લઘુ બંધુ ! તારો વિજય થાઓ. આ ફક્ત મારા આશીર્વાદ જ નહિ, પરંતુ મારો
પૂરેપૂરો આત્મવિશ્વાસ પણ છે.
છતાં પણ કદાચ તારા ઉપર
કોઈ જાતનું સંકટ આવી જાય, તો તું ફક્ત સિંહનાદ કરજે. તે સાંભળી હું તત્કાળ તારી મદદ કરવા માટે દોડયો આવીશ.’’યુદ્ધભૂમિમાં જઈને લક્ષ્મણ એકલા હાથે ચૌદ હજાર વિદ્યાધરો સાથે લડવા
લાગ્યા.
www.jainelibrary.org