________________
માથા વિનાનું ધડડાળી ઉપર લટકતું જોતાં લક્ષ્મણજી ગભરાઈને બોલ્યા- “અરે..રે..! મારા હાથથી કોઈ નિરપરાધી પુરુષની હત્યા થઈ ગઈ. મારા આવા ખોટા કામ માટે મને ધિક્કાર હો....!'' આવી રીતે આત્મનિંદા કરતાં કરતાં તે પોતાના ભાઈ પાસે ગયા અને બધી હકીકત તેમને જણાવી.
રામે ખગ જોતાં જ કહ્યું – “આ તો સૂર્યહાસ ખગ છે. આ સ્થળ ઉપર જરૂર કોઈ સૂર્યહાસ ખડ્ઝની સાધના કરી રહેલ હશે. તેની હત્યા તારા હાથે થઈ. તેનો ઉત્તર સાધક પણ આટલા નજીકમાં જ હોવો જોઈએ.”
47 પોતાના પુત્ર શંબૂકની સાધના પૂરી થવામાં ફક્ત ત્રણ જ દિવસ બાકી રહેલા છે. ત્રણ દિવસ પછી તે એક પ્રખર પરાક્રમી કહેવાશે, એવું વિચારીને શૂર્પણખા ઘણી ખુશ થઈ રહી હતી. ત્રણ દિવસ પહેલાં જ તે બધી પૂજાની સામગ્રી તથા ખાવા પીવાની સામગ્રી લઈને તે સ્થળ ઉપર પહોંચી કે જ્યાં સંબૂકની સાધના ચાલતી હતી. ત્યાં પહોંચતાં જ પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તે ખૂબ હેબતાઈ ગઈ અને આક્રંદ કરવા લાગી, ત્યાં આગળ કોઈના પડેલાં પગલાં જોઈ તે અનુસારે લક્ષ્મણ પાસે પહોંચી.
શૂર્પણખાનું લક્ષ્મણ પાસે
આવવું.
ત્યાં રામનું જાજ્વલ્યમાન રૂપ અને સુંદરતા જોઈ તે વિમાસણમાં પડી ગઈ અને રામને તેની સાથે લગ્ન કરવા આગ્રહ કરવા લાગી. ત્યારે રામે કહ્યું -
મારા લગ્ન તો થઈ ગયા છે, મારી પત્ની સીતા મારી સાથે જ છે, તેથી તું મારા નાના ભાઈને તારી સાથે લગ્ન કરવા સમજાવ.'' જ્યારે તે લક્ષ્મણ પાસે ગઈ, તો તેમણે જવાબ આપ્યો – ‘‘તમે પ્રથમ મારા વડીલ ભાઈ પાસે લગ્ન માટેનું કહેવા ગયા, તેથી તમે ભાવથી મારા ભાભી થયાં. મારા માટે પૂજ્ય ગણાઓ. માટે હું આપની વાતનો સ્વીકાર કેવી રીતે કરી શકું ?''
*
ળાઇ
// roomreli
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org