SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 46 આપના ચરણોમાં આવતાં જ શાંત કઈ રીતે થયું ?’’ ત્યારે મુનિરાજે તે પક્ષીના પૂર્વભવની કથા કહી. તે સાંભળતાં જ ફરીથી જટાયુએ મુનિના ચરણોમાં પડી પ્રણામ કર્યા. પછી મુનિની ધર્મદેશના સાંભળી માંસ અને રાત્રિભોજન ત્યાગના પચ્ચક્ખાણ લીધાં. મુનિએ રામને કહ્યું‘‘આજથી આ પક્ષી તમારું સાધર્મિક થઈ ગયું છે. તેથી તેની સારસંભાળ રાખવાની ફરજ તમારા માથે રહે છે.’’ આટલું બોલીને મુનિઓ આકાશમાર્ગે ચાલ્યા ગયા. રામ, લક્ષ્મણ અને સીતાએ જટાયુને પોતાના રથમાં બેસાડી આગળ પ્રસ્થાન કર્યું. 17 રાવણની બહેન શૂર્પણખાના લગ્ન ખર નામના રાજા સાથે થયા હતા. તેમને શંબૂક અને સુંદ નામના બે પુત્રો હતા. પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ શંબૂક દંડકારણ્યમાં સૂર્યહાસ ખડ્ગની સાધના કરવા ગયો હતો. આ સૂર્યહાસ ખડ્ગની સિદ્ધિ બાર વરસ અને સાત દિવસ સુધી વાંસની ઝાડીવાળી ગુફામાં ઊંધા લટકીને સાધના કરવાથી જ પ્રાપ્ત થાય છે. શંબૂકે બાર વરસ અને ચાર દિવસની સાધના પૂર્ણ કરી. હવે સાધના સિદ્ધ થવામાં ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા. આ સાધનાને લીધે આકાશમાં સૂર્યહાસ ખડ્ગ પ્રગટ થયું. ૩ દિવસ પછી તે ખગ તેને પ્રાપ્ત થવાનું હતું. સીતાનું અપહરણ વાંસની ઝાડીમાં લક્ષ્મણવડે કપાયેલી શંબૂકની ગરદન વનક્રીડા કરતાં કરતાં લક્ષ્મણ તે સ્થળ પાસે પહોંચ્યો કે જ્યાં શંબૂક સાધના કરી રહ્યો હતો. ત્યાં ચારે દિશામાં કિરણો ફેલાઈ રહ્યાં તે હતાં. તે કિરણોથી વ્યાપ્ત સૂર્યહાસ ખડ્રગને જોતાં જ તેમના મનમાં કૌતુક જાણ્યું. આમ પણ નવું શસ્ત્ર જોતાં જ ક્ષત્રિયના મનમાં તે મેળવી તેનો પ્રયોગ કરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય, તે સ્વાભાવિક છે. લક્ષ્મણે ખડ્ગ પોતાના હાથથી ઉપાડ્યું અને પેલી વાંસની ઝાડીવાળી ગુફા ઉપર તેનાથી પ્રહાર કર્યો. પ્રહાર થતાવેંત ડાળી ઉપર લટકી રહેલા શંબૂકનું માથું ધડથી જુદું થઈને નીચે પડ્યું. Ja જટાયુના પૂર્વભવ માટે વાંચો પરિશિષ્ટ – ૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy