________________
શૂર્પણખાનું રાવણ પાસે જવું
પોતાના પતિના પક્ષને મજબૂત બનાવવા અને પોતાના પુત્રની હત્યાનું વેર વાળવા શૂર્પણખા લંકા પહોચી. પોતાના ભાઈ રાવણ સમક્ષ જઈને તેણે કહ્યું- ‘દંડકારણ્યમાં આવી ચઢેલ રામ અને લક્ષ્મણે આપના ભાણેજ શંબૂકની હત્યા કરી છે. તેથી ચૌદ હજાર સૈનિકોને સાથે લઈ તમારા બનેવી, એકલા લક્ષ્મણ સાથે યુદ્ધ કરી રહ્યા છે. છતાં પણ તે લક્ષ્મણ હજી હાર્યો નથી. વિનીતાપુત્ર ગરૂડ જેવી રીતે સર્પોના ઝુંડનો ક્ષણ માત્રમાં નાશ કરે છે, તેવી જ રીતે અમારા સૈનિકોના દળનોતે નાશ કરી રહ્યો
(I/C (L
કરી
તેનો મોટો ભાઈ રામ તો પોતાના બળ ઉપર મુસ્તાક છે. નાના ભાઈના પરાક્રમથી ઘમંડમાં આવેલો તે, સુંદરતાથી ભરપૂર એવી સીતા સાથે બીજા સ્થળે વિલાસ કરી રહ્યો છે. ત્રણે લોકમાં અતિ સુંદર એવી આ સીતા ત્રિભુવનમાં પરાક્રમ કરનારા ફક્ત મારા ભાઈ માટે જ જન્મેલ છે. જો કદાચ તેને તમારી બનાવી ન શકો, તો તમારા આવા અર્થ વગરના જીવન ઉપર ફીટકાર છે. તેથી હે ભ્રાતાશ્રી ! તમે કોઈ પણ જાતનું છળકપટ કરીને આવી અજોડ સીતાને મેળવી લ્યો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org