SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મિ અવંતિપ્રદેશમાં પરોપકારી રામ, સીમિત્ર અને જાનકીનો પ્રવેશ તે તેની શુદ્ધ ભક્તિને કપટ સમજી બેઠો. તેનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તેણે વજકર્ણ સામંતની હત્યા કરવાના સોગંદ લીધા. એક શ્રાવક દ્વારા વજકર્ણને આ વાતની ખબર પડી. તેણે સિંહોદરરાજાને કહેવડાવ્યું - મને મિથ્યા અહંકાર નથી, પરંતુ હું નિયમથી બંધાયેલો છું, તેથી આપને પ્રણામ કરતો નથી. આ સાંભળતાં સિંહોદર રાજાએ દશાંગપુરને ઘેરી લીધું. તેથી પ્રજાજન બહાર ન આવવાના કારણે આ પ્રદેશ ઉજ્જડ થયેલો દેખાય છે.” અયોધ્યાની સીમાઓથી નીકળીને ચિત્તોડ થઈ રામ, લક્ષ્મણ તથા સીતાએ અવંતી દેશમાં પ્રવેશ કર્યો. પદયાત્રાથી સીતા ઘણાં થાકી ગયાં હતાં. તેથી વટવૃક્ષની છાયામાં તે બધા વિશ્રામ કરવા માટે બેસી ગયાં. ચારે દિશાઓમાં વિહંગાવલોકન કરતાં તેમને લાગ્યું કે આ પ્રદેશ હમણાં જ ઉજ્જડ બની ગયો છે. કુતૂહલવશ રામે એક વટેમાર્ગુને આનું કારણ પૂછયું, ત્યારે તેણે કહ્યું- “અવંતિ પ્રદેશનો સિંહોદર નામનો રાજા છે. તેનો સામંત વજકર્ણ દશાંગપુરમાં રાજ્ય કરતો હતો. એણે પ્રીતિવર્ધન મુનિરાજ પાસે નિયમ લીધો હતો કે અરિહંત પ્રભુ તથા નિગ્રંથ સાધુ સિવાય અન્ય કોઈને પણ પ્રણામ કરવા નહિ. પરંતુ સામંત રાજા હોવાના કારણે તેને સિંહોદર રાજાને પ્રણામ કરવા પડતા હતા. તેથી તેણે ભગવાન મુનિસુવ્રતસ્વામીની મૂર્તિપર પોતાની અંગૂઠીમાં બનાવડાવી. જ્યારે પણ તે સિહોદર રાજાને નમસ્કાર કરતો, ત્યારે તેના નેત્રો અંગૂઠીમાં રહેલી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિમાં સ્થિર રહેતાં. તેથી જ્યારે તે વીતરાગ પ્રભુને કરબદ્ધ મુદ્રામાં પ્રણામ કરતો, ત્યારે રાજા માનતો કે વજકર્ણ મને જ પ્રણામ કરે છે. આનો ફાયદો એ થયો કે ન તો સામંતના નિયમનો ભંગ થતો કે ન રાજાના અભિમાનને ઠેસ પહોંચતી. એક દિવસ સિોદર રાજાને આ વાસ્તવિક્તાનું જ્ઞાન થયું. આ સાંભળીને રામ, લક્ષ્મણ તથા સીતા દશાંગપુર આવ્યાં. લક્ષ્મણને સિંહોદર રાજાની સભામાં મોકલવામાં આવ્યા. તેઓએ સિંહોદર રાજાને કહ્યું – “હે રાજન ! આપનો સામંત વજકર્ણ અભિગ્રહના કારણે આપના સમક્ષ નતમસ્તક થતો નથી. તેથી રાજા ભરતનો સંદેશ છે કે આપ ક્રોધ ન કરો.” ભરતનો સંદેશ સાંભળતાં સિંહોદર રાજા ક્રોધિત થયા, એમણે ઉંચા સ્વરમાં કહ્યું- “વજકર્ણનો પક્ષપાત કરવાવાળો આ ભરત કોણ છે ? તે હું જાણતો નથી અને જે તેનો સંદેશવાહક બનીને મારી સમક્ષ આવવાનું દુઃસાહસ કરી બેઠો છે, એ મૂરખને પણ હું જાણતો નથી. રામની સામે સિંહોદર રાજાને બંદી બનાવીને લાવતાં લક્ષ્મણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy