SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આપનો છત્રધારી બનશે.” અચાનક કેકેયી બોલી- “હે વત્સ રામ...! તારા અનુજ ભરતની આ વિનંતી માન્ય કર. તારા વનવાસના ઉત્તરદાયીન આર્યપુત્ર દશરથ છે, ન ભરત છે. પણ જો કોઈ હોય, તો તે હું જ છું. હું જ દોષોની ખાણ છું. ચરિત્રહીનતાને છોડીને અન્ય સર્વ દોષ તારી આ અભાગણી માતામાં છે. મેં મારા પતિ, પત્ર તથા અન્ય રાણીઓને દુ:ખ આપવાનું વૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તે પુત્ર ! મને ક્ષમા કર'' ભરતનો જંગલમાં રાજ્યાભિષેક દુ:ખથી પોક મૂકીને વિલાપ કરતી કેકેયી માતાને રામે કહ્યું, – ‘‘ક્ષત્રિયોનું તીર અને વચન એકવાર નીકળ્યા પછી ફરીથી પાછું ફરતું નથી. હે માતા ! હું દશરથ પુત્ર છું તથા ક્ષત્રિય પણ છું. શું આપ એવું ચાહો છો કે પિતાશ્રી અને મારા પર વચનભંગનો દોષ આવે ? પિતાશ્રીએ અનુજ ભરતને રાજ્ય સોપ્યું છે. તેમના નિર્ણયમાં મારી અનુમતિ છે. વચનનો ભંગ કરીને અમે જીવતે જીવતાં મૃત સમાન બનવા ઇચ્છતા નથી. અમે બંને ઇચ્છીએ છીએ કે ભરત રાજા બને. જ્યેષ્ઠ ભ્રાતા પિતાતુલ્ય હોય છે. અમારા બંનેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ભરતને માટે યોગ્ય નથી.” એટલું કહીને રામે સીતા દ્વારા લાવવામાં આવેલા જળથી બધા મંત્રી તથા સામંતોની સાક્ષીએ એ જ સ્થાન પર ભરતનો રાજ્યાભિષેક કર્યો. કેકેયીને મધુર વચનો દ્વારા સાંત્વન આપી રામે, પ્રેમાળ શબ્દો દ્વારા ભરતને રાજ કર્તવ્યો સમજાવ્યાં અને તેમને પુનઃ અયોધ્યા તરફ પ્રસ્થાન કરવા કહ્યું. માતા તથા અનુજના પ્રસ્થાન પછી રામ-લક્ષ્મણ તથા જાનકી દક્ષિણ દિશામાં ચાલ્યાં ગયાં. પિતા તથા પિતાતુલ્ય ભાઈ, એ બંનેનો આદેશ શિરોધાર્ય કરીને ભરત પુનઃ અયોધ્યા આવ્યા. રાજ્યનો પદભાર તેમણે આનંદપૂર્વક નહિ, પરંતુ દુઃખિત હૃદયથી ગ્રહણ કર્યો. તે પોતાને રામનો સેવક માનતા હતા. તેથી રામની અમાનત માનીને તેઓએ રાજ્યગ્રહણ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy