SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 38 18 કૈકેયીનો પશ્ચાતાપ તથા ભરતનો રાજ્યાભિષેક ક્રોધિત થયા. ભરતની આવી મનઃસ્થિતિ જોઈને દશરથ રાજાએ સત્વર રામ, લક્ષ્મણ તથા સીતાને પુનઃ વનમાંથી પાછા બોલાવવા માટે મંત્રીઓને મોકલ્યા. તેઓએ રામને પુનરાગમન માટે દીનભાવથી પ્રાર્થના કરી. પરંતુ રામ એકના બે ન થયા. છતાં પણ તેઓ નિરાશ ન થયા. તેઓ તો રામની પાછળ પાછળ ચાલી નીકળ્યા. આશા એવી સંજીવની છે, જે માનવીને મૃત્યુની સામે લડવાની શક્તિ આપે છે. કોઈકે કહ્યું आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृंखला। तया बद्धा प्रधावन्तो मुक्तास्तिष्ठन्ति पंगुवत्। અર્થાત્ આશા નામની એક એવી આશ્ચર્યકારી મનુષ્યોની સાંકળ છે કે તેનાથી બંધાયેલા મનુષ્યો દોડધામ કરતાં ક્રિયાશીલ રહે છે. આશાથી મુક્ત થએલા પાંગળાની જેમ નિષ્ક્રિય થઈ જાય છે. આશા નામની સાંકળમાં બંધાયેલા મંત્રીગણો રામની પાછળ-પાછળ ચાલતાં ચાલતાં એક અટવીની નજીક આવ્યા. ત્યાં ભયાનક અસુર જેવા દેખાતાં વૃક્ષો હતાં. મંત્રીગણોએ ક્યારેય આવા ભયાનક વૃક્ષો જોયાં નહોતાં. આ અટવીમાંથી ગંભીરા નામની નદી વહેતી હતી. ત્યાં પહોંચતાં જ રામે મંત્રી તથા સામંતોને પુનઃ અયોધ્યા પાછા ફરવાની વિનંતી કરી. તેમણે કહ્યું- ‘અહીંથી આગળ માર્ગ અતિશય ભયંકર અને કષ્ટદાયક છે. તેથી અહીંથી તમે પાછા ફરી જાઓ. અયોધ્યા પહોંચીને માતા-પિતાને અમારા શ્રેમ-કુશળના સમાચાર તથા પ્રણામ કહેજો. આજ સુધી જે સન્માન મારા પૂજ્ય પિતાશ્રી તથા મને તમે આપતાં આવ્યા છો. તેવું જ સન્માન મારા અનુજ રાજા ભરતને આપજો.” આટલું કહીને રામ આગળ ચાલવા લાગ્યા. “રામચંદ્રજીની સેવા માટે અમે અયોગ્ય છીએ. અમને ધિક્કાર છે....” આ પ્રકારે વિલાપ કરતાં કરતાં તેઓ નદીના તટ પર ઉભા રહીને રામચંદ્રજીને જતા રહ્યા. ગંભીરા નદીને પાર કરીને ધીરે ધીરે ગાઢ વૃક્ષોમાં રામ, લક્ષ્મણ અને સીતા અદૃશ્ય થયાં. મંત્રી તથા સામંતગણે દુ:ખિત હૃદયે પાછા ફરીને દશરથ રાજાને સમસ્ત વૃત્તાંત કહ્યો. ત્યાર પછી અયોધ્યામાં દશરથરાજાએ ભરતને સમજાવ્યું- ‘‘હવે રામ, લક્ષ્મણ અને સીતાની પાછી ફરવાની કોઈ સંભાવના નથી. તેથી તું રાજ્ય ગ્રહણ કર, જેથી મારી દીક્ષામાં કોઈ અવરોધ ન આવે.” ભરતે કહ્યું- “કોઈપણ પરિસ્થિતિમાં હું રાજ્યગ્રહણ નહિ કરું. હું સ્વયં વનમાં જઈશ અને મારા ભાઈને મનાવીને પુનઃ અયોધ્યા લાવીશ.'' આ વાતચીત થઈ રહી હતી, ત્યારે કેકેયી ત્યાં આવીને રાજા દશરથને કહેવા લાગી- “આર્યપુત્ર ! હું પાપી છું, અવિચારી છું. આપે આપના વચન અનુસાર ભરતને રાજ્ય તો આપી દીધું, તેથી આપની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ, આપ ઋણમુક્ત થઈ ગયા છો. પરંતુ ભરતને રાજ્ય ગ્રહણ કરવાની લેશમાત્ર ઈચ્છા નથી, તેથી આજે રાજ્ય રાજા વિનાનું છે. જેવી રીતે પતિ વિહીન નારીનું જીવન નિરર્થક છે, તેવી જ રીતે રાજા વિનાનું રાજ્ય નિરર્થક છે. તે મારા સુપુત્ર ! તારા જતાં જ મારા પ્રાણ કેમ ન ચાલ્યા ગયા. કહેવાય છે, - “પુત્ર: પુત્રો ખાયેત માતા તુ વિપિ ગુમાતા ન મવતિ !' અરે ! કોઈ મને જુઓ, હું અભાગણી સુપુત્રની કુમાતા બની છું. નાથ ! આપ મને અનુજ્ઞા આપો, હું ભરતની સાથે જઈને મારા સુપુત્રો અને પુત્રવધૂને મનાવીને લઈ આવીશ.” રાજા દશરથે તેને સહર્ષ અનુજ્ઞા આપી. ભરત તથા મંત્રીઓ સહિત કેકેયી છ દિવસમાં રામની પાસે પહોંચ્યાં. એક વૃક્ષની નીચે રામ, લક્ષ્મણ તથા સીતાને જોઈને કેકેયી રથમાંથી નીચે ઉતરી. પ્રણામ કરતાં રામનું મસ્તક, ‘હે પુત્ર.... હે પુત્ર !' કહેતાં ચૂમી તે વિલાપ કરવા લાગી. પછી તેમણે લક્ષ્મણ તથા સીતાને આલિંગન કર્યું. આંખોથી નિરંતર અશ્રુધારા વહાવતાં ભરત રામને પ્રણામ કરતાં કરતાં જ બેહોશ થઈ ગયા. રામે તેમને ઉપાડ્યા. હોશમાં આવતા જ ભરત કહેવા લાગ્યા આપ તો નાસ્તિકની જેમ મને છોડીને અહીં આવી ગયા. શું આપ માનો છો કે ભરત, રાજા બનવાની લાલસા હૃદયમાં રાખે છે ? મારી માતાના કારણે હું પણ નિંદાને પાત્ર બન્યો છું. આપ મને આપની સાથે લઈ જાઓ અને લોકાપવાદથી મારી રક્ષા કરો અથવા આપ, ભ્રાતા લક્ષ્મણ અને જાનકી સાથે પુનઃ અયોધ્યા પધારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરો. તો જ હું લોકનિંદામાંથી મુક્ત થઈ શકીશ. જ્યારે આપ અયોધ્યાપતિ બનશો, ત્યારે જગન્મિત્ર ભ્રાતા લક્ષ્મણ આપના મંત્રી બનશે. આ ભરત આપનો પ્રતિહારી સેવક બનશે તથા અનુજ શત્રુઘ્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy