________________
34
રામ, લક્ષ્મણ અને સીતાનું વન પ્રસ્થાન
પોતાના પિતા પાસેથી વનવાસની અનુમતિ મેળવીને રામ ધનુષ્યબાણ આદિ લઈને વનવાસ માટે ચાલી નીકળ્યા. પિતૃભક્ત પુત્રના વિરહની કલ્પનામાત્રથી દશરથરાજા મૂર્ણિત થઈ ગયા. આજ્ઞાંકિત પુત્ર પ્રત્યે સ્નેહ હોવાના કારણે આ રીતે દશરથરાજાને વારંવાર મૂર્છા આવવી સામાન્યથી અનુચિત ન ગણાય. રામચંદ્રજી મનોવિજ્ઞાનના જ્ઞાતા હતા. તેમણે વિચાર કર્યો - “પિતાના વચનપાલન માટે હું વનવાસ જઈ રહ્યો છું, મારા પિતાજીને મારા વિરહની કલ્પના માત્રથી આટલો આઘાત પહોંચ્યો છે, તો વાત્સલ્યભરી મારી માતાજી કઈ મનોદશામાં હશે ?'' તેથી કૌશલ્યાને પ્રણામ કરતી વખતે તેઓએ કહ્યું“માતાશ્રી !કેવલહું નહિ, પરંતુ ભરત પણ આપનો પુત્ર છે. મોક્ષમાર્ગના યાત્રી મારા પિતાજીની વચનપૂર્તિ ભરતના રાજ્યાભિષેકથી થશે. જો હું અહીંયા રહીશ, તો ભરત કદાપિ રાજ્યગ્રહણ નહિ કરે. તેથી મારા માટે સ્વેચ્છાએ વનવાસ જ સ્વીકાર્ય છે. મારા ગયા બાદ તમે તમારી અમીદ્રષ્ટિથી મારા અનુજ ભરત પર અમીવર્ષા કરજો. હે માતા....! મારામાં અને ભરતમાં કશુ અંતર નથી.”
રામ કહેવા લાગ્યા- “માતાશ્રી ! આપ તો ક્ષત્રિયાણી છો.... સામાન્ય સ્ત્રીની જેમ રડવું આપના માટે યોગ્ય નથી. શું સિંહનું બચ્ચું વનમાં એકલું રહેતું નથી ? શું તેની માતા પોતાના બચ્ચા માટે ચિંતિત રહે છે? હે માતા!મારા પિતાશ્રી પોતાના વચનની પૂર્તિ કરીને ઋણમુક્ત બને અને સંયમ ગ્રહણ કરે, એ હેતુથી હું વનપ્રસ્થાન કરી રહ્યો છું. જો હું અહીં રહું, તો ભરત રાજ્ય સ્વીકાર નહિ કરે. તેથી મારું અહીંથી પ્રયાણ કરવું આવશ્યક છે.'' આ રીતે પ્રેમાળ વચનોની વર્ષોથી કોશલ્યાનો હૃદયાગ્નિ શીતલ કરી તથા માતા સુમિત્રા, સુપ્રભા અને કકેયીને યથોચિત પ્રણામ કરી રામચંદ્રજી વનવાસ માટે નીકળ્યા.
રામના ગુણો જરા પણ અતિશયોક્તિ પૂર્ણ નથી. દા.ત. રામનો વિનય જ જોઈએ, તો જે માતા કૈકેયીના કારણે આટલો ઉપદ્રવ થયો, તેના માટે રામે ક્યારેય પણ કોઈ કટુવચનો ન કર્યો. પરંતુ તેઓ તેમનો યથાયોગ્ય આદર કરતા રહ્યા. ત્યાં સુધી કે વનમાં જતા પહેલાં તેમણે માતા કૈકેયીને પણ પ્રણામ કર્યા.
રામની ઉદારતા, સૌહાર્દ તથા ભાતૃપ્રેમની અનુભૂતિ કરતાં કરતાં અચાનક રાણી કૌશલ્યો મૂર્ણિત થઈ ગયાં. દાસીએ ચંદનના શીતલ જળનો છંટકાવ કર્યો, ત્યારે તેમને ભાન આવ્યું, અને વિલાપ કરવા લાગ્યાં- “હાય ! હું કેમ આવી રીતે જીવી રહી છું ? રામના વિરહની વ્યથા હું કેવી રીતે સહી શકીશ? એક તરફ પતિ સંયમમાર્ગના પથિક બનવા જઈ રહ્યા છે, તો બીજી તરફ પુત્ર વનવાસ માટે જઈ રહ્યો છે. આટલી વેદનાઓનો સામનો કરવા છતાં મારુ હૃદય હજી પણ સાબૂત કેમ છે ? મૃત્યુ જ મારા સર્વદુઃખોને સમાપ્ત કરી શકે તેમ છે. પરંતુ તે મારા પર હજી પણ દયા કેમ કરતું નથી ? શા માટે હું આ અર્થહીન જીવન જીવી રહી છું ?''
આર્યનારીની વિશેષતા એ છે કે તે મન-વચન-કાયાથી પતિ પ્રત્યે સમર્પણભાવવાળી હોય છે. રામ જ્યારે વનગમન માટે ચાલી નીકળ્યા, ત્યારે સીતાજીને એવો વિચાર ન આવ્યો કે, હમણાં જ તો મને પરણીને ઘરે લાવ્યા છે અને પૂછ્યા વગર પિતાની વચનપૂર્તિને માટે વનવાસ જઈ રહ્યા છે. આટલો મોટો નિર્ણય કરતાં પહેલાં શું મારી સાથે વાત કરવાનું પણ યોગ્ય ન લાગ્યું ? જે તેમના મનમાં આવ્યું, તે જ કરવાનું. પોતાના રાજ્યાધિકારની કોઈ કિંમત નથી. સ્વયં વનવાસ જઈ રહ્યા છે અને એ પણ ન વિચાર્યું કે પાછળ મારું અહીંયા શું થશે? આવો વિચાર આજની નારી જ કરી શકે. સીતા તો સતી હતાં, સાથેસાથે પતિ પ્રત્યે પૂર્ણ સમર્પિત હતાં. તેમને આ વિચાર તો સ્વપ્નમાં પણ ન આવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org