SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રવધૂ માટે પુત્રીથી પણ અધિક પ્રેમભાવ રાખવાવાળી કૌશલ્યાએ કહ્યું- “હે ભદ્રે ! વિનયી રામ તો પિતૃપ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે વનમાં જઈ રહ્યા છે. તેતો નરશાલ છે, તેથી વનવાસના કષ્ટો તેના માટે અસહ્ય નથી. પરંતુ હે વત્સ ! તને તો શૈશવકાળથી ઉત્તમોત્તમ સુખસગવડો મળી છે, તું. વનવાસના કષ્ટોને કેવી રીતે સહન કરી શકીશ? વરસાદ તથા ઠંડી તારી કોમળ કાયા પર શું અત્યાચાર નહિ કરે ? ઉT હે આર્યો ! તને કાયિક અને માનસિક કષ્ટોથી જર્જરિત થતી જોઈને રામને પણ ભારે દુઃખ થશે. છતાં પણ તે સીતા ! તું તારા પતિની સહચારિણી છે. સુખદુઃખમાં પતિને સાથ આપવો, એ તારું કર્તવ્ય સમજીને વનમાર્ગ પર રામની અનુગામિની બનવાની તારી ઇચ્છાનો હું નિષેધ ક્યારેય નહિ કરું, પરંતુ તને વનમાં જવા માટેની અનુમતિ પણ હું નહિ આપી શકું. તારા વનવાસની કલ્પના માત્રથી મારા રોમે રોમ કંપાયમાન થઈ રહ્યા છે.” VUVIUIOVI કૌશલ્યાની પાસે વનવાસની અનુમતિ માંગતી સીતા. | વિનયશીલ સીતા દશરથ રાજાને પ્રણામ કરી કૌશલ્યાની પાસે આવી અને હાથ જોડીને કહ્યું,- સાસુજી ! શું શરીર અને આત્મા અલગ રહી શકે ? શું પ્રકૃતિ અને પુરુષ એકબીજાથી અલગ થઈ શકે ? મેં અગ્નિસમક્ષ સદા માટે સુખદુ:ખમાં આર્યપુત્રને સાથ આપવાનું વચન લીધું છે. તેઓ વનમાં જઈને રહેશે, ફળાહાર કરશે, પર્ણશય્યા પર શયન કરશે અને હું અહીંયા મહેલમાં રહીને ઉત્તમોત્તમ અન્ન અને મુલાયમ શય્યા જેવા સુખસાધનોનો ઉપભોગ કેવી રીતે કરી શકું ? તેથી વનગમન કરી, પત્નીધર્મ પાળવાની મને અનુમતિ આપો.” કૌશલ્યા વ્યવહારિક ધર્મનો મર્મ જાણે છે. પુત્રવધૂ પ્રત્યે તેને વાત્સલ્ય તથા કરણાભાવ છે. મહેલોમાં ઉછરેલી જાનકીને વનવાસમાં કષ્ટો ભોગવવા પડશે, તેના વિચાર માત્રથી તે ધ્રૂજતાં હતાં. પરંતુ સ્વયં કર્તવ્યદક્ષ પત્ની હોવાના કારણે પત્નીધર્મ પણ જાણે છે. પતિ-પત્નીનું અલગ થવું શરીર અને પડછાયાનું અલગ થવા જેવું છે, તેથી તેમણે જાનકીને વનમાં જવા માટે ભલે અનુમતિ ન આપી. પરંતુ તેના નિર્ણયનો નિષેધ પણ ન કરી શક્યાં. જંદગીભર પોતાના લાડલા લાલ પર જીવનન્યોચ્છાવર કરવાવાળી વહુને ઘણી માતાઓ પોતાની શત્રુ માને છે. તેથી જ ગુજરાતના લોકજીવનમાં એક કહેવત છે, “જે આંખમાંથી Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy