SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવું સાંભળીને કેકેયીને વિચાર આવ્યો,- “મારા સ્વામીનાથે દીક્ષા લેવાની અડગ પ્રતિજ્ઞા લીધી છે. જો તેઓ દીક્ષા લઈ લેશે, તો મને કોઈ રાજરાણી નહિ કહે. દશરથ વડે ભરતને રાજ્ય આપ્યાનું કહેવું પછી દશરથે રામ અને લક્ષ્મણને બોલાવીને કહ્યું,- “કૈકેયીના સારથિપણાની આવડતના કારણે યુદ્ધમાં મને વિજય પ્રાપ્ત થયો હતો. ત્યારે ખુશ થઈને મેં કેકેયીને વરદાન આપેલું. જે ભવિષ્યમાં માંગીશ એમ કહીને તેમણે બાકી રાખેલું, આજે રાજરાણી કૈકેયી ઈચ્છે છે કે હું મારું રાજ્ય ભરતને સોપીને મારા દેવામાંથી મુક્ત થઈને પછી દીક્ષા લઉં. મારા સૌથી મોટા પુત્ર હોવાના કારણે, હે રામ ! રાજ્યગાદીએ બેસવાનો તારો જ અધિકાર છે, પરંતુ આજે તારા અધિકારને બાજુ પર રાખીને હું ભરતને રાજ્ય સોપી રહ્યો છું.” તદુપરાંત જો ભરત પણ દીક્ષા લેશે, તો મારુંરાજમાતાનું બિરુદ પણ જતું રહેશે.” આવા મોહના બંધનમાં બંધાયેલી કેકેયીએ દશરથરાજાને કહ્યું,- “હે સ્વામી ! કુદરત કદાચ પોતાનો રસ્તો બદલી દે, સૂર્ય કદાચ પોતાની દિશા બદલી દે, પરંતુ સત્યવાદી પુરુષનું વચન ક્યારેય બદલાતું નથી. આપને યાદ જ હશે કે મારા સારથિપણાને લીધે ખુશ થઈને આપે સ્વયંવર વખતે મને વરદાન આપ્યું હતું. મેં તે વરદાન ભવિષ્યમાં માંગવા માટે બાકી રાખ્યું હતું. આપ વડે તે દેવાનું બાકી છે. તો આપ દીક્ષા લેતાં પહેલાં આપનું દેવું પૂરું કરી ઘો. ત્યાર પછી આપ દીક્ષા લઈ શકો છો, કારણ કે દેવાદાર માણસો દીક્ષા લઈ શકતા નથી.' URUTUIUIUEVA SUSUNUSUIVANILLUSTRIUNFUENTLAR દશરથ રાજાએ કેકેયીને જવાબ આપતાં કહ્યું- “મને મારું વચન બરાબરયાદ છે. તમે દીક્ષાની મનાઈ કરવા સિવાય કાંઈ પણ માંગી શકો છો. કેકેયીએ કહ્યું- “જો આપ દીક્ષા લેવા જ ઈચ્છો છો, તો પછી અયોધ્યાનું રાજ્ય ભરતને જ આપો.” કકેયીની માંગણી સ્વીકાર કરતાં દશરથે કહ્યું- “ભરત ખુશીથી મારું રાજ્ય લઈ રાજગાદીએ બેસી શકે છે.' DILIP SONI 9 2 For Personal Jain Education International
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy