SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 28 CCOTROCG Durant T PILIP SON સ્નાત્રજળ લઈને આવેલો કંચુકી. રાજા કાંઈ પણ બોલે, તે પહેલાં વૃદ્ધ સેવક સ્નાત્રજળ લઈને ત્યાં આવી પહોચ્યો. તરત જ દશરથ રાજાએ પોતાના હાથથી જ મહારાણી કૌશલ્યાના મસ્તક ઉપર શાંતિસ્નાત્રના જળનો છંટકાવ કર્યો અને પછી સેવકને પૂછયું – “મેં તો સૌથી પહેલા સ્નાત્રજળ દઈને તને અહીં મોકલ્યો હતો, તો પછી તને અહીં પહોંચતાં પહોંચતાં આટલી બધી વાર કેમ લાગી ?'' સેવકે જવાબ આપ્યો – “રાજન ! આપનું કહેવું એકદમ સાચું છે, સૌથી પહેલાં સ્નાત્રજળ દઈને મને જ મોકલ્યો હતો, છતાં પણ મારાથી ઢીલ થઈ અને અહીં પહોંચતાં વધારે સમય લાગ્યો, તેમાં મારો કોઈ વાંક નથી, પણ ગુન્હેગાર તો આ મારી વૃદ્ધાવસ્થા છે. મારું શરીર હવે ચાલતું નથી. અંગે અંગ નબળું પડી ગયું છે. આપ મારા શરીર તરફ ધ્યાનથી જોશો, તો આપને ખબર પડશે કે ખરો અપરાધી કોણ છે ?'' Jain Education International For Personal & Private Use Only www.Jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy