________________
21 મારી ઈચ્છા છે કે આપણી મિત્રતા હજુ પણ વધુ ઘનિષ્ઠ બને. તેથી આપ આપની પુત્રીના લગ્ન મારા પુત્ર સાથે કરી આપો.'
ચંદ્રગતિ રાજા જનકરાજાને મળીને પ્રેમપૂર્વક ભેટ્યા અને મિત્રતા ભર્યા મીઠા શબ્દોથી કહ્યું,- “રાજન્ ! અનેક સદ્ગણો તેમજ સ્વર્ગની દેવીઓ જેવા રૂપ-લાવણ્યવાળી આપની પુત્રી સીતા હજી અપરિણીત છે. મારો પુત્ર ભામંડલ પણ રૂપ, યૌવન અને સદગુણોથી ભરેલો છે. ચપલગતિ વિદ્યાધરે ઘોડાનું રૂપ ધારણ કરી
જનકરાજાનું કરેલું અપહરણ
રથનુપુરનરેશને ઉત્તર આપતાં જનકરાજા આદરપૂર્વક બોલ્યા – “આપનું કથન ઘણું યોગ્ય છે, પરંતુ રામના પરાક્રમથી પ્રભાવિત થઈને મેં મારી પુત્રીનું સગપણ તેની સાથે કર્યું છે. હવે તેનું લગ્ન ભામંડલ સાથે કઈ રીતે થઈ શકે ? કન્યાનું સગપણ તો ફક્ત એક જ વાર થાય છે.”
વળતા જવાબમાં ચંદ્રગતિ રાજાએ કહ્યું – “હે રાજન્ ! આપણા વચ્ચે અરસ પરસ સ્નેહ સંબંધ છે જ; તેમાં વધુ ઉમેરો થાય, તે માટે જ આપને અહીં ઉપાડી લવાયા છે. આપની પાસેથી વિધિપૂર્વક મેં આપની કન્યાની માંગણી કરી છે. સીતાનું અપહરણ કરી લઈ આવવી, એ અમારા માટે કોઈ મોટી વાત નથી.”
હું આપની અકળામણ સમજી શકું છું. આપે રામનું મહાપરાક્રમ જોઈને જ આપની પુત્રી તેમને સોંપી છે. હવે મારી ઈચ્છા છે- “અમને હરાવીને રામ ભલે આપની પુત્રી સીતાનું પાણિગ્રહણ કરે. મારી પાસે દેવોથી અધિષ્ઠિત એવા બે ધનુષ્ય છે, જેનાં નામ વજાવર્ત અને અર્ણવાવર્ત છે. હું આ બંને ધનુષ્ય આપને સમર્પિત કરું છું. મારી શરત એ છે કે જે કોઈ પણ વ્યક્તિ આ બેમાંથી એક ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને ખેંચી ટંકાર કરશે, તેનો વિજય થયો ગણાશે. કદાચ જો રામ આ પ્રમાણે ધનુષ્યની પણછ ચઢાવી ખેંચવા શક્તિમાન થાય, તો આપ સીતાના લગ્ન રામ સાથે અવશ્ય કરજો.” આવી રીતે ચંદ્રગતિએ જનકરાજાને પોતાની વાત માની લેવા દબાણ કર્યું. હવે બીજો કોઈ ઉપાય ન હોવાથી તેમની વાતનો જનકરાજાને સ્વીકાર કરવો પડ્યો. પછી ચંદ્રગતિ રાજાએ મિથિલાનરેશને વિદાય આપી, ચંદ્રગતિ રાજા પોતાના પરિવાર સાથે મિથિલાનગરીની હદ બહાર રોકાઈ ગયા.
પોતાના રાજમહેલમાં આવીને જનકરાજાએ બધો વૃત્તાંત પોતાની રાણી વિદેહાને કહી સંભળાવ્યો. ત્યારેતેરોવા-કકળવા લાગી અને કહેવા લાગી-“હાય.. હાય.. મારા ભાગ્ય જ ફૂટી ગયા જણાય છે. વર્ષો પહેલાં ભાગ્યે મારા પુત્રને મારાથી વિખૂટો પડાવ્યો,
Jain Education
For Personal & Private Use Only
www.ainelibrary.org