SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 10. કેકેયીનું સારથીપણું હૃદયમાં લગ્નનાં સપના લઈને કૌતુકમંગલ નગરીમાં આવેલા હરિવહન આદિ, યોદ્ધા બનીને સમરાંગણમાં આવ્યા. વીર સંન્યાસી દશરથ સાથે તેમનો સામનો થઈ રહ્યો હતો, તે એકલા હતા. કેકેયીએ તેમના સારથિ બનવાનું ઉત્તરદાયિત્વ પોતાના ખભાઓ ઉપર ઉપાડ્યું. નીડર દશરથ એકલા જ અગણિત સુભટો પર બાણ વર્ષા કરવા લાગ્યા. સુભાષિતકાર કહે છે કે : एकेनाऽपि हि शूरेण पदक्रान्तं महीतलम्। क्रियते ही भास्करण स्फारस्फुरिततेजसा ।। A TE આકાશપટ પર એક જ સૂર્ય બિરાજમાન હોય છે. પરંતુ તે પોતાના તેજસ્વી સ્કુરાયમાન કિરણોથી પૃથ્વીને એક જ પળમાં ભરી દે છે. તેવી જ રીતે પરાક્રમી પુરુષ, ભલે તે એકલો જ કેમ ન હોય, પૃથ્વીને જીતી લે છે. દશરથના સૌભાગ્યથી તેમને કેકેયીના સ્વરૂપમાં કુશળ સારથિ મળ્યો હતો. જેવી રીતે ઉત્તમ પ્રકારના સુવર્ણમાં ઉત્કૃષ્ટ રત્ન જડવાથી તેની આભામાં ચાર ચાંદ લાગે છે, તેવી જ રીતે અતુલ યોદ્ધા દશરથના પરાક્રમમાં સારથિ કેકે યીના કૌશલ્યનો સાથ મળવાથી વિજયમાં ચાર ચાંદ લાગ્યા. કેકેયીના કૌશલ્યથી દશરથનો રથ, પવન વેગથી વધારે ગતિમાન થઈને દોડી રહ્યો હતો. પરાક્રમી દશરથ એક પછી એક શત્રુસેનાના સુભટોના રથ તથા શસ્ત્રાસ્ત્રો વેરવિખેર કરી રહ્યા હતા. તેમના પરાક્રમ સામે શત્રુઓ ટકી શક્યા નહિ. જેવી રીતે શક્રેન્દ્ર અસુરોની સેનાને પરાભૂત કરે છે તથા સિંહ હરણના ટોળાને ભયભીત કરી દે છે, તેવી જ રીતે દશરથની બાણવૃષ્ટિએ સમસ્ત શત્રુસેન્યોને પરાજીત કરી દીધાં. અંતમાં શત્રુસેના દાંતમાં તણખલું લઈને દશરથના શરણમાં આવી ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy