________________
કેકેયીના લાલિત્ય અને લાવણ્યથી મોહિત થયેલા રાજાઓ મનમાં વિચાર કરવા લાગ્યા- “શું આજે મારા ભાગ્યરવિનો ઉદય થશે ? શું આ કન્યા મારી પાસે આવીને મને પોતાના જીવનસાથીના રૂપમાં સ્વીકારશે ?” અહીંયા એક-એકથી ચડિયાતા સ્વરૂપવાન, વૈર્યવાન, ઉત્તમકુળના રાજવંશીઓ ઉપસ્થિત હતા. બધાના હૃદયમાં કેકેયીને પામવાની અભિલાષા હતી. જ્યારે કેકેયી એક રાજાની સમક્ષ આવીને તેમનું નિરીક્ષણ કરતી, ત્યારે તે રાજાના હૃદયસાગરમાં જાણે ભરતી આવી હોય, તેમ આનંદ તથા ઉમંગની લહેરો ઉછળવા લાગતી. પરંતુ
જ્યારે તે તેમને જોયું નજોયું કરીને આગળ ચાલી જતી, ત્યારે તેમના હૃદયસમુદ્રમાં નિરાશાની ઓટ આવી જતી હતી. આ પ્રમાણે સ્વયંવર મંડપમાં ઉપસ્થિત અધિકાંશ રાજવંશીઓને નિરાશાના સાગરમાં
જળસમાધિ આપતી આપતી અચાનક કેકેયી કાર્પટિક વેશધારી દશરથરાજાની સમક્ષ આવીને ઉભી રહી. વિશાળ સાગરનું ઉછાળા મારતું રૌદ્રરૂપ રૂપી સૌદર્ય જોઈને આશ્ચર્યથી ત્યાંને ત્યાંજ થંભી ગયેલી જાણે કે ગંગા નદી ન હોય ! દશરથ રાજાનું વિશાળ કપાળ, કમળ જેવા નેત્ર, મનોહર હાસ્ય તથા પૌરષસભર પ્રમાણબદ્ધ શરીર જોતાં કકેયીનું શરીર રોમાંચિત થયું. પળમાત્રનો વિલંબ કર્યા વિનાકકેયીએ વરમાળા દશરથના કંબુસમાન ગળામાં પહેરાવી દીધી.
હરિવાહનાદિ બધા રાજાઓ આ દૃશ્ય જોઈને ક્રોધથી કંપિત થયા. સ્વયંવર મંડપમાં સુંદર, બળવાન, પરાક્રમી તથા કુળવાન એવા અનેક રાજવંશી હતા. છતાં પણ તેઓનો અસ્વીકાર કરીને રાજકુમારીએ એક સામાન્યતમ કાર્પટિકના ગળામાં વરમાળા પહેરાવી દીધી. આ ઘટના બધા રાજાઓને અપમાન જનક લાગી. એમનોક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો. વાસ્તવિક રીતે જો વિચાર કરવામાં આવે, તો આમા કંઈ જ અપમાનજનક નહોતું. સ્વયંવરમાં પોતાના પતિની પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રાજકુમારીને આપવામાં આવે છે. તે કોઈને પણ પસંદ કરે, તેની સાથે તેના લગ્ન કરવામાં આવે છે. તે છતાં મોહાધીન જીવો તાત્ત્વિક વિચાર કરતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org