________________
છતાં પણ ત્યાગી નથી કહેવાતી, કારણ કે તેઓ મૃત્યુને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જીવન જીવવાની લાલસા તથા ભવિષ્યમાં રાજ્યભવને પુનઃ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેમના અંતરમાં જીવિત હતી. જ્વરથી પીડિત વ્યક્તિને વૈદ્યરાજ કે ડૉક્ટર ઘણીવાર માત્ર મગનું પાણી
કે સાદું પાણી જ પીવાનું કહે છે. એ રીતે બધા આહારનો ત્યાગ કરવાવાળી વ્યક્તિને નતો તપસ્વી કહેવાય કેનતેની ક્રિયાને ઉપવાસનો તપ કહેવાય. જો કોઈ વેપારી લાભ મેળવવા માટે બે-ચાર માઈલ પગે ચાલે, તો તેની આ ક્રિયાને કાયકલેશ તપ કહેવું શું યોગ્ય છે?
કૈકેયીનો સ્વયંવર
વનમાં ભ્રમણ કરતાં કરતાં તે બંને ઉત્તરાપથમાં આવ્યા. ત્યાં તેઓને જાણવા મળ્યું કે કૌતુકમંગલનગરમાં રાજા શુભમતિ અને રાણી પૃથ્વીશ્રીની પુત્રી તથા યુવરાજ દ્રોણમેઘની બહેન રાજકુમારી કેકેયીનો સ્વયંવર રચવામાં આવી રહ્યો છે. રાજકુમારી કેકેયી કેવલ સુંદર જ નહિ, પરંતુ વિવિધ કળાઓમાં રુચિ તથા નિપુણતા ધરાવતી
હતી.
કૈકેયીનો સ્વયંવર
અનેક પરાક્રમી પુરુષોને એક સ્થળે આમંત્રિત કરી તેમાંથી યથાયોગ્ય વરની પસંદગી કન્યા પોતાની ઈચ્છાનુસાર કરે, તે સ્વયંવર કહેવાય છે. તે જ પુરુષની સાથે કન્યાના લગ્ન થાય છે. કૈકેયીના સ્વયંવર માટે એક ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું. કૌતુકમંગલ નગરમાં હરિયાહન આદિ અનેક શાસક રાજકુમારોને સ્વયંવર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સર્વે મંચપર ક્રમશઃ પોતપોતાની યોગ્યતાનુસાર બિરાજ્યા હતા. દશરથ તથા જનક રાજાને પોતાના યોગીવેશના કારણે અંતિમસ્થાન મળ્યું. તેથી તેઓ બંને ત્યાં જ બેસી ગયા.
ત્યારબાદ ઉત્તમોત્તમ વસ્ત્ર તથા રત્નાલંકારોથી વિભૂષિત લાવણ્યમયી કૈકેયીએ પોતાના કોમળ હાથોમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. તેની સાથેસાથે એક દાસી પણ ચાલી રહી હતી. સુયોગ્ય પતિની પસંદગી કરવા તે મંડપમાં ફરવા લાગી.
Jain Education international
નE
Mainelora