SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મોહાધીન બિભીષણ બિભીષણ દ્વારા દશરથની મૂર્તિનો વધ અવસરની શોધમાં સતર્ક બિભીષણે એક રાતે, દશરથના શયનખંડમાં પ્રવેશ કરીને દશરથ રાજાની મૂર્તિ પર પોતાના ખડ્રગનો પ્રહાર કરીને મૂર્તિનું મસ્તક શરીરથી અલગ કરી દીધું. પરંતુ તેઓ એટલા ભયભીત થઈ ચૂક્યા હતા કે પળમાત્ર પણ ત્યાં ઉભા ન રહી શક્યા. તેઓએ એટલો પણ વિચાર ન કર્યો કે મેં વાસ્તવમાં દશરથ રાજાની હત્યા કરી છે કે પછી કોઈક મૂર્તિનું મસ્તક કાપ્યું છે. લેપ્યમય મૂર્તિમાં રુધિર સમાન લાગતોલાક્ષારસ ભર્યોહતો. અંધારામાં મૂર્તિનું મસ્તક છેદતાં જ બિભીષણનું ખગ લાક્ષારસથી રંગાઈ ગયું. ખગ પરથી ટપકતાં લાક્ષારસને બિભીષણે લોહી માની લીધું. તેઓ ખુશ-ખુશાલ થઈ લંકા તરફ જવા નીકળ્યા. મંત્રીઓએ પણ એવો જ અભિનય કર્યો કે જાણે વાસ્તવમાં રાજા મરી ચૂક્યા હોય. કોશલ્યાદિ રાજરાણીઓએ તથા પરિવારના સભ્યોએ શોક પ્રદર્શિત કર્યો. તેથી અંગરક્ષકોની સાથે-સાથે સામંત રાજા પણ ત્યાં દોડી આવ્યા. બુદ્ધિમાન એવા ગંભીર મંત્રીઓએ રહસ્ય ભેદ ન થવા દીધો અને મરણોત્તર આવશ્યક અંત્યેષ્ટિની ક્રિયાઓ પૂર્ણ કરી. મનમાં ને મનમાં પોતાના રાજાનું જીવન બચાવવાનો આનંદ હોવા છતાં પણ તેઓની શોકપૂર્ણ મુખમુદ્રાઓ જોઈને બધાને લાગ્યું કે રાજા દશરથ હવે રહ્યા નથી. રાજા દશરથની મૂર્તિની હત્યા કર્યા પછી બિભીષણે વિચાર કર્યો કે- “હવે રાજા દશરથના અભાવે તેમના વંશમાં સંતાનનો જન્મ થવો અસંભવ છે. કેવલ જનકરાજાની પુત્રી દ્વારા પોતાના ભાઈ રાવણનો વધ થવો સંભવ નથી. તેથી જનકરાજાને ત્યાં જઈને તેમની હત્યા કરવાનો વ્યર્થ પ્રયાસ કરીને પોતાના જીવનને સંકટમાં મૂકવું આવશ્યક નથી.'' સંન્યાસીનો વેષ ધારણ કરીને રાજા દશરથ તથા જનક પોતાના જીવની રક્ષા માટે યોગીઓની જેમ વનમાં વિચરી રહ્યા હતા. પરંતુ એવી વ્યક્તિ લાખ કષ્ટ ભોગવવા Jain Education inten For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy