SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કકેયીને વરદાન આ ઘટના પછી શુભમતિ રાજાએ દશરથની સાથે રાજકન્યા કૈકેયીના વિધિવત્ લગ્ન કર્યા. દશરથે નવોઢા કેકેયીને કહ્યું - ‘દેવી ! તમારા સારથિપણાના કારણે આજે મારો વિજય થઈ શક્યો. હું તમારાથી પ્રસન્ન છું. તેથી આપ મનગમતું વરદાન માંગી લો. તે હું પૂર્ણ કરીશ.” કૈકેયીએ કહ્યું – ‘‘આ સમયે વરદાન માંગવાની આવશ્યક્તા નથી. એને અનામતના રૂપમાં રાખો. યોગ્ય સમય આવતાં અવશ્ય માંગીશ, ત્યારે તેને પૂર્ણ કરજો.” દશરથના પ્રખર પરાક્રમથી સંપૂર્ણ શત્રુસેના મુગ્ધ થઈ ગઈ હતી. સેન્ચ સહિત તે રાજગૃહી તરફ પધાર્યા. ત્યાં તેમણે મગધના રાજાને જીતીને રાજગૃહીને પોતાનું રહેઠાણ બનાવ્યું. પછી દશરથે દૂત મોકલીને અયોધ્યા નગરીથી પોતાની ત્રણે રાણીઓને બોલાવી. દૂતનો સંદેશ મળતાં જ કૌશલ્યાદિ સમસ્ત પરિવારજન પહેલાં તો આશ્ચર્યચકિત થયા. કારણ કે – તેમના અસ્તિત્વ પર લાગેલું. ગ્રહણ અચાનક સમાપ્ત થયું અને અપાર હર્ષના સાગરે તેનું સ્થાન લીધું . તે બધા ત્વરિત રાજગૃહી પધાર્યા. મનમાં પ્રબળ ઈચ્છા હોવા છતાં પણ તે અયોધ્યા પાછા ન ગયા, કારણ કે રાવણની ભયાનક્તા હજી પણ તેઓના મનમાં છવાયેલી હતી. / / \ / /T/ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy