________________
ન જોવાની ચીજ : અન્યની ભૂલ
૮૯
ધીમે પ્રજવલી રહ્યો છે. એક બાજુ માનની નાનીશી ટેકરી છે. વચમાં થોડી માયાની આંટીઘૂંટીઓ છે. બીજી બાજુ એક લોભનો-મનોરથનો નાનો સરખો ખાડો છે. આવું બધું જોઈ શિષ્યને થયું કે, “અરે ! આ ગુરુજીના દિલમાં તો હજુય કષાયો સળવળે છે તો મારો એમનાથી શું ઉદ્ધાર થશે ?” તેથી એ તો કાંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો... ગંગાજીને કિનારે આવી વસ્યો. લોકોના મનના ભાવો કહી કહીને ફંડ એકઠું કરવા લાગ્યો, લોકોને ભક્ત બનાવવા માંડયો. જોતજોતામાં એક આશ્રમ સ્થાપી દીધો. ઘણા વખત બાદ પેલા સંન્યાસી યાત્રા કરતાં કરતાં ત્યાં આવ્યા. લોકમુખે જાદુઈ લાકડીની વાત સાંભળી આશ્રમમાં આવ્યા. બન્નેએ એકબીજાને ઓળખ્યા. ગુરુએ પૂછ્યું “શું કરે છે ?” શિષ્ય બધી વાત કરી. ત્યારે ગુરુજીએ કહ્યું કે, “બધાનું દિલ તો તું જુએ છે પણ તારું પોતાનું દિલ ક્યારેય તપાસ્યું ? એમાં રહેલા દોષો ક્યારેય જોયા કે નહીં ?” શિષ્ય જવાબ આપ્યો કે, “ના, એ પ્રયોગ તો મેં કર્યો નથી.” “તો હવે કર.” ને શિષ્ય પોતાનું દિલ જોવા લાકડીનો ઉપયોગ કર્યો. “ક્રોધાગ્નિની જ્વાળાઓ આકાશને આંબવા મથી રહી હતી. માનપર્વત એટલો ઉત્તુંગ હતો કે એનું શિખર નજરે ચડતું નહોતું. માયાની ભયંકર વંશજાળ ગૂંથાયેલી હતી. લોભસમુદ્ર ઘુઘવાટા મારતો હતો.” આવું બધું જોઈને શિષ્ય સીધો ગુરુના પગમાં પડી ગયો. “ગુરુદેવ ! મને માફ કરજો, મેં મારા જ દોષો જોયા નહીં.” - આ એક વાસ્તવિકતા છે. માણસ પોતાના છતાં દોષોને પણ જોઈ શકતો નથી, અને અન્યના અછતાં દોષોને પણ કલ્પી શકે છે. પોતાનામાં રહેલી રજકણને આંખ જોઈ શકતી નથી, બીજાની આંખમાં રહેલીને સરળતાથી જોઈ શકે છે. આ અનાદિની ચાલને હવે છોડવી છે, કેમકે બીજાના દોષો જોવામાં ભૂલો જોવામાં મોટે ભાગે સંક્લેશ છે. બીજાનો વાંક જોયો ને મનમાં એના પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર જાગ્યો સમજો. “મને એ હેરાન કરે છે' આવી બુદ્ધિ આવી, એટલે ક્રોધને આવવા માટે નેશનલ હાઈવે તૈયાર થઈ જ ગયો સમજો. એમાંથી “એ આમ કરે છે, તો હું ય ક્યાં કાચો છું ? હું પણ એને બતાવી દઈશ.” એ રીતે બદલો લેવાની ભાવના જાગવા માંડશે, જે વારંવાર ઘૂંટાવાથી વૈરની ગાંઠ બની જાય છે.
પેલો રાજગૃહીનો ભિખારી-ત્રણ ત્રણ દિવસથી ભીખ માટે આખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org