________________
૮૮ -
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
કરનારા અધિકારી માત્ર છે. એની સામે હું પ્રતિકાર કરવા બેસીશ તો મારી સજા વધારી દેવામાં આવશે. એના બદલે જો એને મજેથી સ્વીકારી લઈશ તો મારા કેટલાય અન્ય અપરાધોની પણ સજા ઘટાડી નાખવામાં આવશે.” આવી બધી વિચારણાઓ સાથે આ પણ મૈત્રીભાવનાને અખંડિત રાખનાર-પુષ્ટ કરનાર એક મહત્ત્વનો ઉપાય છે, કે ગમે તેવો પ્રસંગ આવ્યો હોય. અન્યને અપરાધી તરીકે જોવો નહીં. આ એક ખૂબ કઠિન વાત છે એ સાચું, કેમકે સામાન્યથી તો જીવોનો એવો જ અભ્યાસ હોય છે કે પોતાની પર્વત જેવડી મોટી ભૂલ પણ પોતાને દેખાતી નથી અને સામાની રાઈ જેવડી ભૂલ પણ દેખાયા વગર રહેતી નથી. સ્વની ભૂલો જોવા માટે જાણે કે આંખે પાટો લાગી જાય છે અને અન્યની ભૂલો જોવા માટે માઈક્રોસ્કોપ લાગી જાય છે. આગળ પ્રતિપાદન થઈ ગયું છે કે “અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી.” પોતાની ભૂલો દેખાતી નથી, અને બીજાની દેખાયા વગર રહેતી નથી.' આ અનાદિની ચાલ છે, માટે એને છોડવી જ પડશે, જો આત્મહિત સાધવું છે તો. - અન્યની ભૂલો જોવી એ એક સાહજિક વાત બની ગઈ છે એમાં તો કોઈ બેમત ન જ હોઈ શકે.
એક કથા પ્રસિદ્ધ છે. એક નિઃસ્પૃહ સંન્યાસી પાસે એક યુવક આવ્યો અને સેવામાં લાગી ગયો. સંન્યાસી કાંઈ બોલતા નથી, પોતાનામાં મસ્ત રહે છે. સાથે રહેતાં રહેતા યુવકને જાણવા મળ્યું કે સંન્યાસી પાસે એક જાદુઈ લાકડી છે. જેના તરફ એ તાકીને નિરીક્ષણ કરવામાં આવે તેના મનના ભાવો-પરિણામો વગેરે જોઈ શકાય. એ યુવકે નક્કી કર્યું કે આ લાકડી મેળવવી. મહિનાઓ સુધી પોતે કાંઈ જ ન બોલવા છતાં આ યુવકે ચેલો બની સેવા કરી એટલે સંન્યાસી પ્રસન્ન થયા. બોલ વત્સ ! તારે શું જોઈએ ?' એવું પૂછવા પર યુવકે દિલની વાત કહી દીધી. સંન્યાસીએ કહ્યું, “મારે આપી દેવામાં વાંધો નથી, પણ એનાથી તારું હિત નહીં થાય, અહિત થશે. માટે બીજું કાંઈ માગ' પણ યુવકે હઠ પકડી. ‘તમારે વચન પાળવું હોય તો એ જ આપો.' છેવટે, સ્વવચન પાલન માટે સંન્યાસીએ એ લાકડી ચેલાને સોંપી. પોતે તો પાછા સમાધિમાં બેસી ગયા. શિષ્ય એ લાકડીનો ઉપયોગ તુરંત સંન્યાસીનું દિલ જોવા માટે કર્યો. એમાં એક ખુણે ક્રોધનો અગ્નિ ધીમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org