SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ - હંસા !.. તું ઝીલ મિત્રીસરોવરમાં પરાકાષ્ઠા છે. તમારી જે, જેવી અને જેટલી હેરાનગતિ પર તમને પણ જ્યારે એવું લાગવા માંડે કે, હવે તો હદ થઈ ગઈ, મારે પણ કંઈક કરવું જોઈએ, ત્યારે તમારે તમારી એ હેરાનગતિને અગ્નિશર્માની હેરાનગતિ સાથે સરખાવવી જોઈએ. મને લાગે છે કે અગ્નિશર્માની હેરાનગતિ કરતાં એ ઘણી ઓછી જ હોય છે. મેરુની આગળ રાઈ... એટલે, ત્રાસ આટલો ભયંકર હોવા છતાં, અને આટઆટલું તો સહન કરી લીધું હોવા છતાં, જો પછી અગ્નિશર્માએ પ્રહાર કરવાનો નિર્ણય કર્યો તો એની આ દશા થઈ, છતાં જો કર્મસત્તા સ્વકાર્યમાં એની દખલગીરી ચલાવી લેવા તૈયાર નથી, ને એને ગુનુગાર ઠેરવી સજા કરે છે, છતાં જો કર્મસત્તા એના આ વર્તનને કેદીની ગેરવર્તણુક રૂપ સમજી એની સજા વધારી દે છે, તો જેને થયેલો ત્રાસ એટલો ભયંકર નથી એવા તમે જો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ ત્રાસદાયક વ્યક્તિને (અધિકારીને) સજા રૂપે પ્રહાર કરવા બેસી જાવ તો કર્મસત્તાની કોર્ટ એ દખલગીરીને કે એ ગેરવર્તણૂકને ચલાવી લેશે એવું માનવું એ ભ્રાન્ત માન્યતા જ રહે છે. ગમે તેવી હદ આવી ગઈ હોય, કોઈપણ પ્રહાર કરે તો કર્મસત્તા અને ક્યારેય સાંખી લેતી નથી. તેથી. કોઈપણ વ્યક્તિની વારંવારની કનડગતથી વાજ આવી ગયા હોઈએ અને તેથી એને પણ કંઈક દેખાડી આપવાનો વિચાર માત્ર પણ મનમાં આકાર લેવા માંડે તો સુજ્ઞ સાધકે અગ્નિશર્માને નજરમાં લાવવો, ખંધકસૂરિને માનસપટ પર ઉપસ્થિત કરવા કે કુટ-ઉત્કટ મુનિઓને સ્મૃતિપથમાં લાવવા જોઈએ. ત્રણ-ત્રણવાર પારણું ચૂકવીને બૂરી રીતે હેરાન કરનાર ગુણસેન આખરે તો કર્મસત્તાએ ચિંધેલી ફરજ બજાવનાર અધિકારી જ છે. આ વાત ભૂલી જનાર અગ્નિશર્માની કેવી હાલત કર્મસત્તાએ કરી તેને નજર સામે લાવીને આપણા મનમાં સાકાર થયેલ પ્રહાર કરવાના વિચારને માંડી વાળવો એ જ હિતાવહ બને છે. પોતે ફરમાવેલી સજાનો અમલ કરવા માટે નીમેલ જેલર વગેરેને જે કેદી હેરાન કરવા માંડે તેની સજા કોર્ટે વધારી દે છે તો કર્મસત્તાની કોર્ટ પણ શા માટે એ વધારી ન દે ? બાકી દુન્યવી કોર્ટમાં તો હજુ, ક્યારેક નિર્દોષ દોષિત ઠરી જાય અને તેને સજા ભોગવવી પડે. તેમજ ક્યારેક દોષિત પણ નિર્દોષ છૂટી જાય, આવું બને. જોધપુરમાં મેમસાબ આવ્યા. એમની રત્નજડિત વીંટી ખોવાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy