________________
૭૬ .
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં હશે ? કોના જોર પર દ્વેષ અને દુર્ભાવથી બચી શકાતું હશે ? મૂળને જોવા પર આ બધું શક્ય બને.. “માત્ર સેનાપતિ કે રામચન્દ્રજી જ નહીં, પણ લોક પણ આ દુઃખનો એક હાથો જ છે, મૂળ તો મારાં કર્મ જ છે'. આ વિચારધારા પર દ્વેષના સંકલેશથી સીતાજી બચી શક્યાં. જે મને અપરાધી દેખાઈ રહ્યો છે તે તો આ કર્મસત્તાની કોર્ટે જે જે સજા ફરમાવી છે એને બજાવનાર અધિકારી માત્ર છે ! - ભુટ્ટોએ એક કપ કૉફી પીને જેલરને કહ્યું હતું Finish it..... ઇલેકટ્રીક ચેર પર રાખના ઢગલામાં પરિવર્તિત થઈ ગયેલા પાકિસ્તાનના એ સરમુખત્યારના મનમાં રોષ હતો તો ઝિયા પર. નહીં કે બટન દબાવવાવાળા એ જેલર પર.....
અપરાધ કરનાર નાગરિકને કોર્ટે જે સજા ફરમાવી હોય તેને જેલના જેલર, સિપાઈ વગેરે પોતાની ફરજ માની બજાવે છે. કેદીને જેલમાં પૂરે છે, એની સજા પ્રમાણે એની પાસે સખત મજૂરી કરાવે છે, કોરડાના ૫૦-૧૦૦ ફટકા પણ વીંઝે છે, યાવત્ ફાંસીએ પણ ચડાવી દે છે. એ વખતે કેદી કાંઈ એમ વિચારતો નથી કે “આ સિપાઈનું મેં કાંઈ બગાડ્યું નથી તો એ મને કેમ ફટકા મારે છે ? હું એનો માર નહીં ખાઉં. એ મને મારશે તો હુંય સામો એને મારીશ.” કેદીને એ સિપાઈ વૈરી એટલા માટે નથી દેખાતો કે એ જાણે છે કે આ તો કોર્ટે નીમેલો અધિકારી, કોર્ટની ચિઠ્ઠીનો ચાકર, કોર્ટે એને આજ્ઞા કરી કે આ કેદીને સખત મજૂરી કરાવો તો એ સખત મજૂરી કરાવે. આને ૫૦ ફટકા મારો..” તો એ હાથમાં હંટર ઉપાડે છે. એમાં મારે એની સાથે શું શત્રતા કરવી ?”
માંડલપંચના અહેવાલને અનુસરીને આરક્ષણ પર સહી કરવાવાળા વી.પી. સિંહને જેટલો ડર હતો મોતનો એટલો લાઠીચાર્જ કરી રહેલા એ મિલીટ્રીમેનોને નહોતો... વિદ્યાર્થી યુવકોનો જેટલો આક્રોશ એમને સહેવો પડેલો એનો અંશમાત્ર પણ અશ્રુવાયુ કે ફાયરિંગ કરી રહેલા પોલીસમેનોને સહેવો નહોતો પડેલો... કારણ ?
દરેક વ્યક્તિ પોલીસને માત્ર દંડવાહક માને છે...
એ જ રીતે કોઈ પણ માણસ આપણને હેરાન કરે.... ગમે તેવી પીડા પહોંચાડે... તોપણ આપણો વિચાર આ જ ઢાંચામાં ઢળેલો હોવો જોઈએ. Catch the real one... સાચા ગુનેગારને પકડો.. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org