________________
કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ સહવાની આવી !” આવી ફરિયાદ કરી દીધી. કર્મસત્તાએ કહી દીધું, મારે કોઈ ફરિયાદ ન જોઈએ. તું ગમે તેટલો આરાધક ભલે ને હોય એક વાર તો પશુયોનિમાં ચાલ્યો જા, હાથી બની જા.”
માટે જ્ઞાનીઓ કહે છે કોઈ પ્રતિકાર નહીં. પ્રતિકારની ભાવના નહીં, “એ હેરાન કરે છે' એવી નોંધ પણ નહીં, યાવત્ “હું હેરાન થઈ ગયો' એવી ફરિયાદ પણ નહીં. આમાંનું કાંઈ જ ન કરો. જે આવે તેને સહન કરો, સહન જ નહીં, સ્વીકારપૂર્વક સહન કરો, માત્ર સ્વીકારપૂર્વક જ નહીં, સહર્ષ સ્વીકારપૂર્વક સહન કરો, પછી જોઈ લ્યો, કોઈ સજા તો નહીં, પણ ઉમદામાં ઉમદા બક્ષિસ. ભૌતિક અને આધ્યાત્મિક... બન્ને સમૃદ્ધિઓનું જોરદાર ઈનામ. .
હા, દુનિયામાં પણ તમને આ જ સત્ય સોળે કલાએ ખીલેલું જોવા મળશે. જે કેરી ગરમી સહન કરે છે તે મજેની સુગંધ અને અદ્ભુત સ્વાદ સ્વરૂપ સમૃદ્ધિ પામે છે. જે સોનું અગ્નિમાં તપે છે. એ જ ચળકે છે. જે હીરો એસીડમાં ઊકળીને સરાણ પર ઘસાય છે, એ જ ચમકે છે. જે પત્થર ટાંકણાના ઘા સહે છે એ જ પ્રતિમા બનીને પૂજાય છે. જડની સમૃદ્ધિ એના ઊંચા પ્રકારના રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે છે. એ એને સહન કરવાથી જ ઊંચા ઊંચા પ્રકારના પ્રાપ્ત થાય છે. સાવ કર્કશ સ્પર્શવાળો પત્થર પણ જેમ જેમ ઘસાય છે તેમ તેમ કેવો લીસો બનતો જાય છે ! આ જ વાત જીવને લાગુ પડે છે. જે સહન કરે છે તે ઊંચી ઊંચી ભૂમિકા પામવા રૂપ સમૃદ્ધિ મેળવતો જાય છે. કુદરતે આ નિયમ અપનાવ્યો છે. Pay the price and gain it - શ્રેષ્ઠ સમૃદ્ધિ જોઈએ છે ? તો, મૂલ્ય ચૂકવો અને મેળવો. કુદરત પાસેથી ન તો કોઈ ચીજ ભીખ માંગીને મેળવી શકાતી કે ન તો ઝૂંટવીને લઈ શકાતી.. એનું મૂલ્ય ચૂકવીને જ ચીજ મેળવી શકાય છે. એ મૂલ્ય છે “સહન કરવું.” સહન કરવારૂપ પેમેન્ટ કરતા રહો અને કુદરત તમને સમૃદ્ધ કરતી જશે. ઠેઠ નિગોદમાંથી પૃથ્વીકાયાદિ કે બેઇન્દ્રિયાદિ જન્મો કે જ્યાં ધર્મ-અધર્મનો કોઈ વિવેક નહોતો તે જન્મો દ્વારા ઠેઠ પંચેન્દ્રિયપણું અને માનવભવ સુધીની ભૂમિકાએ અકામ નિર્જરાથી જે પહોંચાય છે તે પણ દુઃખો સહન કરવાનો જ પ્રભાવ હોય છે ને “સહન કરવું એ તો જીવનો અનાદિકાળથી સુખદાયક મિત્ર છે. સંસારમાં ઠેઠ નિગોદાવસ્થાથી લઈને ટોચકક્ષાનાં ઓછાવત્તાં પણ સુખો તેમજ અંતે
No pain, no gains.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org