________________
૬૮.
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં પોતાના જાજવલ્યમાન કેવલજ્ઞાનમાં આ વાસ્તવિકતાને જોતા હોવાથી જ્ઞાનીઓ આપણને ઉપદેશ છે કે, “જે કાંઈ આવે તે બધું જ સહો, ક્યાંય પણ સજા કરવા બેસી ન જાવ. નહીંતર ભયંકર કર્મ બાંધી લેશો..જેનો દંડ તમારે જ ભોગવવો પડશે..” અરે ! કર્મસત્તા તો એવી વ્યાપક કોર્ટ છે કે તમારે ફરિયાદ સુધ્ધાં કરવાની જરૂર નથી. તમે ફરિયાદ કરી કરીને પણ કેટલી કરવાના ? કોઈ શરીરથી કે વચનથી તમને તમારી જાણમાં હેરાન કરે તેની ફરિયાદ કરી શકવાના. તમારી જાણ બહાર તમને જે હેરાનગતિ થઈ રહી છે તેની કે મનથી તમારા માટે દુર્ભાવ વગેરે કરવા રૂપ જે હેરાનગતિ થઈ રહી છે તેની તમે
ક્યાં ફરિયાદ કરી શકવાના છો ? શું એની સજા નહીં થાય ? ના, કર્મસત્તા તો આવા આવા ગુનાની પણ નોંધ લઈ સજા ફટકારી જ દે છે. કોઈએ ગુપ્ત રીતે તમારી નિંદા કરી, તમારા માટે ખરાબ વિચારો કર્યા. એને અશુભ કર્મો બંધાઈ જ ગયાં, પછી તમારે ફરિયાદ કરવાની જરૂર જ શી છે ? માટે જ, જે કાંઈ પણ આવે તેનો સહર્ષ સ્વીકાર કરી લ્યો, કોઈ વૈરભાવ કે ગુસ્સો તો નહીં જ, ‘હાય હાય ! મારે આવું સહેવાનું? આવું તો શી રીતે સહેવાય ?' ઇત્યાદિ રૂપે હાય વૉય કે આજંદન પણ નહીં, કેમકે એ ફરિયાદ કરવા રૂપ છે અને આવી ફરિયાદને પણ કર્મસત્તા સાંખી લેતી નથી. એ જાણે કે એમ કહે છે કે “તને ખબર ન હોય તેવા પણ, તારા પ્રત્યે અન્ય આચરેલા અપરાધની તારી વગર ફરિયાદ પણ નોંધ લઈને એને સજા કરી દઉં છું. કોઈએ પણ આચરેલો અપરાધ આમાંથી બાકાત રહેતો નથી. મારું તંત્ર એટલું બધું ચોક્કસ છે કે આમાં ક્યારેય ગફલત થતી નથી. તેમ છતાં તું ફરિયાદ કરે છે એનો અર્થ તું મારા પર અવિશ્વાસ કરે છે. માટે તુંય ગુનેગાર છે. લે, સજા લેતો જા.”
પુરુષાદાનીય પાર્શ્વપ્રભુનો જીવ મરુભૂતિ ! કેવું અનુપમ આરાધક શ્રાવક જીવન હતું. કમઠ તો પોતાની અવળચંડાઈના કારણે દેશનિકાલની સજા પામેલો. તેમ છતાં, “મેં રાજાને વાત કરી એ એના દુ:ખમાં નિમિત્ત બની ને ! માટે જ્યાં સુધી એને ખમાવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે.” આવા ખમાવવાના ભાવથી ભાઈના પગમાં માથું નમાવ્યું. ત્યાં કમઠે મસ્તક પર મોટી શિલા ઝીંકી દીધી. અણધારી વેદનાથી અસાવધ બની ગયેલા મરુભૂતિએ “હાય ! હું ખમાવવા આવ્યો ને મારે વેદના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org