SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ - હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં અન્ય કોઈપણ વ્યક્તિ તરફથી કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય, તો એણે કોર્ટને-સરકારને ફરિયાદ કરવી જોઈએ. એના પર કોર્ટ એ ગુનેગાર વ્યક્તિને એના ગુન્નાની યોગ્ય સજા કરે અને ફરિયાદ કરનાર નાગરિકના જાનમાલનું રક્ષણ કરે. પણ હેરાન થયેલ નાગરિકને એ ગુનેગારને સ્વયં સજા કરી દેવાનો અધિકાર નથી, કેમકે આ રીતે નાગરિક જો એને દંડ કરવા બેસી જાય તો એનો અર્થ એ થાય કે કાયદો અને વ્યવસ્થા એણે પોતાના હાથમાં લઈ લીધાં. આ પ્રમાણે દરેક નાગરિક જો કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેવા માંડે તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ જાય, પછી સરકાર પણ શી રીતે શાસન ચલાવે ? માટે ગુનેગાર તો ગુનેગાર છે જ, અને કોર્ટ તેને તો સજા કરશે જ, પણ જે નાગરિક કોર્ટનો-સરકારનો અધિકાર ઝૂંટવી લઈ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લ્ય, ગુનેગારને સ્વયં સજા કરવા બેસી જાય, તે નાગરિક પણ કોર્ટની દૃષ્ટિએ ગુનેગાર છે, સજાને પાત્ર છે. માટે આ સજ્જનને પણ કોર્ટ યોગ્ય સજા ફરમાવે છે. કોર્ટ કે સરકાર પોતાનું જે મુખ્ય કાર્ય છે એમાં જો કોઈ નાગરિક દખલ કરે, તો એને એ સહન કરી લેતી નથી. એ નાગરિકને પણ એ દંડ કરે છે. આ વિશ્વનું તંત્ર પણ કુદરતની સરકાર ચલાવે છે. તમામ જીવો આ રાજયના પ્રજાજન છે. એમાંથી કોઈ પણ જીવ કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન કરે કે અન્ય જીવોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરે તો તેને યોગ્ય સજા કરવા માટે કુદરતની સરકારે કર્મસત્તા નામની કોર્ટ સ્થાપેલી છે. એટલે કોઈપણ જીવ જો મિથ્યાત્વનું આસેવન વગેરે રૂપ અયોગ્ય વર્તન કરે છે, યા તો અન્ય જીવને ગાળ આપવી, અપમાન કરવું, એની વસ્તુ ચોરી લેવી, માર મારવો વગેરે રૂપે હેરાનગતિ કરે છે તો આ કર્મસત્તા નામની કોર્ટ એ જીવને અપરાધી ઠેરવી એની સજા કરે છે, અને એ રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે. પણ જો કોઈ જીવ પોતાને બીજા તરફથી થતી હેરાનગતિ જોઈને એને શિક્ષા કરવા મંડી પડે છે તો એની આ પ્રવૃત્તિને કર્મસત્તાની કોર્ટ, એ પીડિત જીવે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા રૂપે પોતાની (કોર્ટની) સત્તામાં માથું મા-દખલ કરી એવું ગણીને એ જીવને પણ ગુનેગાર ઠેરવે છે. ક્યારેક તો આ હસ્તક્ષેપને બહુ જ મોટો અક્ષમ્ય અપરાધ ગણાવી કર્મસત્તાની કોર્ટ એને ભયંકર સજા ફટકારી દે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy