________________
૬૦ -
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ચડતા દરેક કુટુંબનું સર્વેક્ષણ જો કોઈ પ્રાજ્ઞ પુરુષ કરે તો એ વિભાજનના મૂળ તરીકે આવી જ કોઈ “ચીજની આપ-લે, માન-સન્માન, ધન” વગેરેની વિષમતા જોવા મળે.
માત્ર કુટુંબોમાં જ નહીં, સમાજમાં-દેશમાં અને દુનિયામાં પણ આ જ જોવા મળશે. એક મેગેઝિનમાં એક કિસ્સો વાંચવા મળેલો. ઈલાહાબાદની હાઇકોર્ટ કે જે એક ઐતિહાસિક કોર્ટ છે. ત્યાં જુના જૂના ઘણા મહત્ત્વના ઐતિહાસિક કેસો અને ચુકાદાઓ નોંધાયેલા છે. એની જૂની ઇમારતમાં કોર્ટના હૉલની બહાર દરવાજાની બે બાજુ પર બે જમીનદારોનાં સ્ટેટુ ગોઠવવામાં આવ્યાં છે. એની નીચે એ બન્નેનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. એ બને મિત્રો હતા અને બાજુબાજુમાં જ બન્નેની જમીનો હતી. એમાં જમીનના અમુક ભાગ માટે બન્ને વચ્ચે એકવાર વિવાદ થયો. બન્ને જણ એના પર પોતપોતાની માલિકી જમાવવાનો પ્રયાસ કરવા માંડ્યા. મામલો આ હાઈકોર્ટમાં આવ્યો. હવે વટનો પ્રશ્ન થઈ ગયો હતો. અને વેરનો બદલો લેવાની ભાવના જાગી હતી. એમાં બંને ત્યાં સુધી ખુવાર થઈ ગયા કે બધી સંપત્તિ અને આ વિવાદાસ્પદ જમીન સિવાયની તમામ જાગીર ખલાસ થઈ ગઈ. જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો ત્યારે માત્ર વિવાદાસ્પદ જમીનનો ટૂકડો કે જેના પર કોર્ટનો સ્ટે હોવાથી એમાંથી કોઈ વેચી શક્યું નહોતું તે જ વિજેતા જમીનદાર પાસે રહેલી મૂડી હતી, જ્યારે પરાજિત જમીનદાર પાસે કોઈ મૂડી રહેવા પામી નહોતી. આ ઇતિહાસ લખીને નીચે લખ્યું છે કે, “આ વાત બરાબર સમજી લ્યો, ને પછી કોર્ટમાં આવવું હોય તો આવો.”
જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોંગીને પરાજિત કરવા કેટલાય વિરોધ પક્ષો ભેગા થઈને એક મોરચો બનાવવા પ્રયાસ કરે છે. બધા પક્ષો જાણે છે કે, “આપણે જુદા હોઈશું તો આપણા મત વિભાજિત થઈ જશે અને એમાં કોંગી ફાવી જશે. આ જ કારણ છે કે અમારો પક્ષ એકલો સરકાર રચી શકે એટલી બહુમતી તો નહીં પણ સબળ વિરોધ પક્ષ બની શકે એટલી બેઠકો પણ મેળવી શકે એમ નથી. માટે બધા વિરોધપક્ષોએ એક બનવું આવશ્યક છે.” વળી જ્યારે સર્વોદયનેતા જયપ્રકાશ નારાયણ વગેરેના પ્રયાસથી વિરોધપક્ષો ખરેખર એક થયા ત્યારે તેઓ કોંગીને પરાજિત કરી સરકાર રચી શક્યા, તેમજ જે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org