SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૫૭ નજરાણા રૂપે મૂકવા અને પછી પાદશાહની આજ્ઞાને અનુસરવું. તેથી આજી ભદુઆ ૫૦૦ વછેરા લઈ કાબુલ પહોંચ્યો. નજરાણું જોઈ પાદશાહ પણ ખૂબ ખૂબ પ્રસન્ન થયો. ‘તમારી શી ઇચ્છા છે ?” એ પાદશાહે પૂછયું. એટલે આજીએ પોતાની ઇચ્છા જણાવી. પાદશાહે પણ એ વાતને સ્વીકારી. પણ પાદશાહે પૂર્વે પણ આજી-પુનરાજીનાં પરાક્રમો સાંભળ્યાં હતાં. બળવાન સોરસીપીઆને હરાવ્યો જાણીને પણ તેઓના બળની કલ્પના કરી હતી. વળી આજે આજીની મુલાકાતમાં પણ એની તેજસ્વિતાને પિછાણી. એટલે પાદશાહને એ વાતની સ્પષ્ટ પ્રતીતિ થઈ કે, “આ લોકો ક્યારેક મને પણ વિનરૂપ બને એમ છે.” એટલે ટાઢે પાણીએ ખસ જાય એવા કોઈ ઉપાયને ચિંતવવામાં એ પડ્યો. છેટે તેણે એક યુક્તિ ખોળી કાઢી. એણે નક્કી કર્યું કે આ બે ભાઈઓ વચ્ચે કસંપ થાય તો પછી અંદરઅંદર શંકામાં શેકાઇને અને વૈરની આગમાં બળીને તેઓ કમજોર થઈ જાય કે નાશ પામી જાય. અને મારું વિઘ્ન દૂર થાય. પણ પરસ્પર અત્યંત વિશ્વાસુ અને સુલેહ-સંપવાળા આ બેમાં કુસંપ કઈ રીતે ઊભો કરવો ? એ પણ એક પ્રશ્ન હતો. એનો પણ એણે જવાબ વિચારી લીધો. એણે બન્ને માટે ઉત્તમ પ્રકારની પહેરામણીઓ તૈયાર કરાવી. પણ તેણે વિચાર્યું કે બન્ને એકસરખા બળવાન છે તેમજ બન્નેની પાસે એકસરખા માણસો અને પશુધન છે. બન્નેને એકસરખી પહેરામણી જો આપીશ, તો મારો ઇરાદો બર નહીં આવે. પણ જો ઓછીવત્તી પહેરામણીઓ હશે, તો જરૂર એમનામાં ફાટફૂટ પડશે. એટલે આજી માટેની પહેરામણી ઘણી ભારે કિંમતની તૈયાર કરાવી અને પુનરાજી માટેની ઓછી કિંમતની તૈયાર કરાવી. એ પહેરામણીઓ લઈને આજી પાછો ફર્યો. શિયાળકોટ પહોંચીને એણે પહેરામણીઓ પુનરાજીને બતાવી. પાદશાહની બાજી સફળ થઈ. પોશાકો જોઈને પુનરાજીને આજી પ્રત્યે શંકા ઉત્પન્ન થઈ. તેણે આજીને પૂછયું કે, “આપણે બન્ને સરખા છીએ. બેમાંથી કોઈએ વધુ પરાક્રમ નથી કર્યું, તો પછી પાદશાહની પહેરામણીમાં આવો ફેર કેમ ?” આજીએ નિખાલસભાવે કહ્યું કે, “પાદશાહે આમ કેમ કર્યું તેનું કારણ હું પોતે પણ સમજી શકતો નથી. હું તો એમણે જે આપ્યું તે લઈને અહીં આવ્યો.” પણ આજીના આ ખુલાસાથી પુનરાજીના મનનું સમાધાન થયું નહીં. આ માટે એના મનમાં શંકાનો એવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy