________________
પર
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં જ પડો.ચાહવા માટેની શરત પરિપૂર્ણ થઈ ગયેલી જ છે. એટલે કોઈ પણ માનવ..પશુ..પંખી....વનસ્પતિ....વગેરે જ્યાં જ્યાં ચૈતન્ય જોવા મળે....મૈત્રી વહાવવી ચાલુ કરી દેવી જોઈએ.....આને જ રેવાન્સ ફોર લાઈફ કહે છે ને!
બીજી રીતે વિચારીએ તો, આપણને કોઈના પ્રત્યે જે દ્વેષ-દુર્ભાવ જાગે છે એ, તે વ્યક્તિના તેવા વિચારો-અભિપ્રાયો, વચનો કે વર્તણુંકના કારણે બહુધા જાગતો હોય છે. પણ આ બધું તો વસ્તુતઃ એ આત્માનું પણ પોતાનું નથી, ઉપાધિ રૂપ છે. એના પોતાના સ્વરૂપનો-શુદ્ધ આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો એમાં કશું જ વૈર-વિરોધ કરવા જેવું લાગશે જ નહીં. પ્રભુ વીર જેવો જ એનો પણ શુદ્ધ આત્મા દેખાવાથી પ્રીતિ જ વહાવવાનું મન થશે. મૂળમાં રત્ન પાણીદાર-લક્ષણવંતું છે, પછી એના પર થોડો મેલ જામી ગયો હોય એને મહત્ત્વ આપીને એનો તિરસ્કાર કરવાનો કે અંદરના ગુણો પારખી એનો સત્કાર કરવાનો? સામી વ્યક્તિની કેવલજ્ઞાનાદિમય ચેતનાની સામે એની આપણને નાપસંદ મન-વચન-કાયાની પ્રવૃત્તિ શી વિસાતમાં છે કે જેથી એને લક્ષમાં લઈ શત્રુતા વહાવવી ? ને એની સાથે મૈત્રીસંબંધ ન જોડવો ?
બાકી જેનો સ્વભાવ જ સાવ વિપરીત છે, એવા જડ પુગલો સાથે સંબંધ ટકવાનો પણ કેટલો ? એક ભાઈ દાનવીર હોય, બીજો કૃપણનો કાકો હોય, એક દરેક બાબતમાં ઉદાર વલણ રાખવાવાળો હોય, બીજો નાની નાની વાતને પણ ચોળીને ચીકણી કરનારો હોય, એક ધર્મની તીવ્ર રુચિવાળો હોય, અને બીજો ધર્મના તીવ્ર દ્રષવાળો હોય...આવા સાવ વિપરીત સ્વભાવવાળા બે ભાઈઓ ભેગા રહેતા હોય, તોપણ તેઓ કેટલું ભેગું રહેવાના ? એક દિવસ તેઓનો સંબંધ તૂટવાનો જ. એમ જીવ અને જડ એ બન્ને સાવ વિપરીત સ્વભાવવાળા છે. જીવ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગરનો છે, અમૂર્ત છે, જ્યારે જડ દ્રવ્ય રૂપ-રસ-ગંધ અને સ્પર્શવાળું છે, મૂર્ત છે. જીવ જ્ઞાનસ્વભાવવાળો છે, પુદ્ગલ જ્ઞાનશૂન્ય સાવ જડ છે. જીવ નિત્ય છે, પુગલ અનિત્ય છે. આમ સાવ વિપરીત સ્વભાવવાળા પુદ્ગલ સાથે જીવનો મેળ કેટલો જામવાનો? એ એને જેટલો વળગવા જશે એટલો જ શું હેરાન થયા વગર રહેશે ? પરસ્પર વિપરીત સિદ્ધાંતો ને વિચારધારા ધરાવનાર ભાજપ અને માયાવતીકાશીરામનું જોડાણ ઉત્તરપ્રદેશમાં ક્યાં લાંબું ટક્યું ? ને જ્યાં સુધી એ ટક્યુંભાજપ માયાવતીને વળગતો રહ્યો ત્યાં સુધી ડગલે ને પગલે એને માનભંગ વગેરે વેઠવાં પડ્યાં ને ? માટે જ્ઞાનીઓ કહે છે કે હવે સાવ વિપરીત સ્વભાવવાળા એવા પુદ્ગલ પ્રત્યેનું આકર્ષણ તોડો અને અત્યંત એક સ્વભાવવાળા એવા જીવો સાથે મૈત્રીભાવ જોડો. હવે પુદ્ગલને પોઝ પાર્ટી માનો અને જીવોને પોતાની પાર્ટી માનો. કોઈ પણ જીવ તરફથી પ્રતિકૂળ વર્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org